ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુનું તા.9મીએ રાજકોટમાં રાત્રી રોકાણ, તૈયારીઓ શરૂ

05:45 PM Oct 03, 2025 IST | Bhumika
Advertisement

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આગામી 10 અને 11 તારીખના રોજ સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેઓ 9 તારીખ ના રોજ દિલ્હી થી સીધા જ રાજકોટના હીરાસર એરપોર્ટ ખાતે ઉતરાણ કરશે અને ત્યાંથી તેઓ બાય રોડ રાજકોટ સર્કિટ હાઉસ ખાતે તેઓ રાત્રી રોકાણ કર્યા બાદ તેઓ વહેલી સવારે સાસણ જવા માટે રવાના થશે.

Advertisement

સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ બે દિવસ સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે તેઓ સાસણ ખાતે સિંહ દર્શન તેમજ સોમનાથ જાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે તેમ જ રાજકોટમાં પણ એકાદ કાર્યક્રમમાં હાજરી આપે તેવી શક્યતાઓ છે. રાષ્ટ્રપતિને પ્રવાસનાલય સર્કિટ હાઉસ સંપૂર્ણ બુક કરવા આવશે સિવિલ હોસ્પિટલમાં એક ખાસ વર્ડ પણ ઊભો કરવામાં આવશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ નવ તારીખે બપોર બાદ હીરાસર એરપોર્ટ ખાતે આવી પહોંચે ત્યાંથી તેઓ બાય રોડ સીધા જ રાજકોટ સર્કિટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કર્યા બાદ રાજકોટ એરપોર્ટ ખાતેથી હેલિકોપ્ટર મારફત તેઓ સાસણ જવા માટે રવાના થશે.રાષ્ટ્રપતિના સૌરાષ્ટ્ર અને રાજકોટના પ્રવાસના લઈ વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પણ શરૂૂ કરી દેવામાં આવી છે અને તમામ પ્રાંત અધિકારીઓ તેમજ મામલેદાર, નાયબ મામલતદાર સહિતના અધિકારીઓને જવાબદારી સોંપી દેવામાં આવી છે.

Tags :
gujaratgujarat newsindiaindia newsPresident Draupadi Murmurajkotrajkot news
Advertisement
Next Article
Advertisement