અમિત ખૂંટ આપઘાત કેસમાં પૂજા રાજગોર જેલ હવાલે, એડવોકેટના જામીન નામંજૂર
રીબડા નાં ચકચારી અમિત ખૂંટ આપઘાત મામલે પોલીસ તપાસમાં કેટલાક ચોકાવનારા ખુલાસા થયા બાદ આ મામલે રાજકોટની પૂજા જેન્તીભાઈ રાજગોર અને દુષ્કર્મની ફરિયાદ નોધાવનાર સગીરાની તેમજ ગોંડલના કોંગ્રેસના નેતા એડવોકેટ દિનેશભાઇ પાલાભાઈ પાતર અને રાજકોટના એડવોકેટ સંજય હેમંતભાઈ પંડિતની ધરપકડ કરી હતી.
બન્ને એડવોકેટના રિમાન્ડ નામંજૂર થતા બન્નેને જેલ હવાલે કર્યા હતા. બીજી તરફ રાજકોટની પૂજા જેન્તીભાઈ રાજગોરના રિમાન્ડ પૂર્ણ થતા તેને પણ જેલ હવાલે કરવામાં આવી હતી. રાજકોટના એડવોકેટ સંજય હેમંતભાઈ પંડિતે વચગાળાના જમીન માટે અરજી કરતા કોર્ટે તે ફગાવી હતી.
રીબડાના અમિત દામજીભાઈ ખુંટને હનીટ્રેપમાં ફસાવી આપઘાત કરવા માટે મજબૂર કરાયાના કેસમાં પોલીસે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું છે. ભોગ બનનાર સગીરાને વડોદરાના રિમાન્ડ હોમ ખાતે મોકલી આપવામાં આવી છે. જયારે રાજકોટની પૂજા જયતિભાઈ રાજગોરની રિમાન્ડ ઉપર પુછપરછ કરી હતી. બીજી તરફ આ પ્રકરણમાં પકડાયેલ ગોંડલના કોંગ્રેસના નેતા એડવોકેટ દિનેશ પાતર અને રાજકોટના એડવોકેટ સંજય પંડિતની રિમાન્ડ નામંજૂર થતા બન્નેને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. બીજી તરફ રાજકોટની પૂજા જેન્તીભાઈ રાજગોરના રિમાન્ડ પૂર્ણ થતા તેને પણ જેલ હવાલે કરવામાં આવી હતી.
રીબડાના અમિત ખુંટને હનીટ્રેપમાં ફસાવવા અને બળાત્કારની ફરિયાદનું ષડયંત્ર રાજકોટમાં રચાયું હતું. આ કેસમાં રીબડાના બાહુબલીના એક નજીકના શખ્સ જેને પોલીસે એક્સ તરીકે નામ આપ્યું છે તે જૂનાગઢના રહીમ મકરાણીનું નામ સામે આવ્યું હોય જેની ધરપડક માટે પોલીસની અલગ અલગ ટીમ તપાસ કરી રહી છે. આ ષડયંત્રનો સુત્રધાર રહીમ મકરાણી રાજકોટ આવ્યો હતો જે આરોપી પૂજા રાજગોર સાથે છેલ્લા એક વર્ષથી પરિચયમાં છે.
અમિત ખુંટ સામેની દુષ્કર્મની ફરિયાદના 10 દિવસ પૂર્વે એક્સ નામનો શખ્સ રાજકોટ આવ્યો અને તેણે પૂજા તેમજ સગીરા અને ત્રીજી એક યુવતીને મળી અમિતને ફસાવવા માટે કાવતરું રચ્યું હતું. અને પૂજા તેમજ સગીરાને બનાવ વખતે બન્ને વકિલ દિનેશ પાતર અને સંજય પંડિત મદદ માટે સાથે રહેવા જણાવ્યું હતું. રાજકોટની પૂજા રાજગોરે પોલીસ સમક્ષ વટાણા વેરી દીધા હતા અને આ ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. ગોંડલના કોંગ્રેસના નેતા એડવોકેટ દિનેશભાઇ પાલાભાઈ પાતર અને રાજકોટના એડવોકેટ સંજય હેમંતભાઈ પંડિતની ધરપકડ કરી હતી.
બન્ને એડવોકેટના રિમાન્ડ નામંજૂર થતા બન્નેને જેલ હવાલે કર્યા હતા. બીજી તરફ રાજકોટની પૂજા જેન્તીભાઈ રાજગોરના રિમાન્ડ પૂર્ણ થતા તેને પણ જેલ હવાલે કરવામાં આવી હતી. રાજકોટના એડવોકેટ સંજય હેમંતભાઈ પંડિતે વચગાળાના જમીન માટે અરજી કરતા કોર્ટે તે ફગાવી હતી. આ કેસમાં ફરાર રીબડાના અનિરૂૂધ્ધસિહ મહિપતસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદિપસિહ અનિરૂૂધ્ધસિહ જાડેજા સામે આ મામલે કાયદાનો ગાળિયો વધુ મજબુત બની રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.રાજકોટ રેંજ આઈજી અશોક કુમાર યાદવ અને જીલ્લા પોલીસ વડા હિમકર સિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ બનાવ અંગે રાજકોટ ગ્રામ્ય એલસીબીના પી.આઈ વી.વી.ઓડેદરા, ગોંડલ તાલુકાના પી.આઈ એ.ડી.પરમાર અને પીએસઆઈ એ.સી.ડામોર ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પેરોલ ફર્લો તથા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન સ્ટાફની અલગ-અલગ ટીમો આ કેસની તપાસ ચલાવી રહી છે.