રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વ્યાજખોરોનો ભોગ બનેલા 216 લોકોને પોલીસ લોન માટે મદદ કરશે

04:46 PM Aug 01, 2024 IST | admin
Advertisement

વ્યાજખોરો સામેના લોકદરબારમાં કુવાડવા, ભક્તિનગર,પ્ર.નગર, આજી ડેમ પોલીસ મથકમાં લોન મેળો યોજાયો

Advertisement

રાજકોટ પોલીસે યોજેલ લોકદરબારમાં ભાગ લેનાર લોકોને નાણાકીય જરૂૂરિયાત હોય તો બેંકનો સંપર્ક કરવો તેવી સલાહ આપ્યા બાદ ભોગ બનનાર લોકોએ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી હતી પરંતુ લોન મેળવવાની પ્રક્રિયાથી લોકો અજાણ હોય લોન ઈચ્છુક લોકોનો રસ્તો સરળ કરી દેવા માટે પોલીસ સ્ટેશન વાઈઝ લોન મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

દરમિયાન ભક્તિનગર પોલીસ મથકમાં પીઆઈ સરવૈયાની રાહબરીમાં યોજાયેલ લોન મેળામાં 70, આજી ડેમ પોલીસમાં પીઆઈ જાડેજાની રાહબરીમાં યોજાયેલ લોન મેળામાં 56, પ્રનગર પોલીસમાં પીઆઈ ઝણકાતની રાહબરીમાં યોજાયેલ લોન મેળામાં 60 અને કુવાડવા રોડ પોલીસમાં પીઆઈ રજયાની રાહબરીમાં યોજાયેલ લોન મેળામાં 30 લોકો જોડાયા હતા આ તકે જુદી જુદી બેંકના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા અને તેમને તેમની જરૂૂરિયાત પ્રમાણેની લોનની માહિતી આપી ડોક્યુમેન્ટ લઇ બેંક સમક્ષ જવા સમજુતી આપી હતી પ્રોસેસ પૂર્ણ થયા બાદ તેમને લોન રૂૂપે સહાય આપવામાં આવશે કુવાડવા વિસ્તારમાં અગાઉ પ્રોસેસ કરી ચૂકેલા મુકેશભાઈ ઝાપડાને 5 લાખની લોનનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsvictims of loan sharks for loans
Advertisement
Next Article
Advertisement