For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાકિસ્તાન-બાંગ્લાદેશમાં વાતચીત કરનાર 500 લોકોને પોલીસનું તેડું

04:31 PM Apr 29, 2025 IST | Bhumika
પાકિસ્તાન બાંગ્લાદેશમાં વાતચીત કરનાર 500 લોકોને પોલીસનું તેડું

રાજકોટ ક્રાઇમ બ્રાંચ અને એસઓજીને ATSમાંથી આવેલુ લિસ્ટ, શા માટે ફોન આવ્યા ? પોલીસે શરૂ કરેલી પૂછપરછ, આધાર-પૂરાવાની ચકાસણી

Advertisement

કાશ્મીરમા થયેલા આંતકવાદી હુમલા બાદ સરકારે દાખવેલા કડક વલણ બાદ સરકારની સુચનાથી પોલીસ દ્વારા કામગીરી કરવામા આવી રહી છે જેમા બાંગ્લાદેશી અને પાકિસ્તાની ઘુષણખોરો સામે પોલીસે શરૂ કરેલી સર્જીકલ સ્ટ્રાઇક ચાલુ છે ત્યારે રાજકોટમા બાંગ્લાદેશ અને પાકિસ્તાની સાથે ફોન ઉપર વાતચીત કરનાર પ00 લોકોને પોલીસે તેડુ મોકલ્યુ છે. આવા પ00 જેટલા લોકોની ક્રાઇમ બ્રાંચ અને એસઓજી પુછપરછ કરી રહી છે. ગુજરાત એટીએસ દ્વારા પાકિસ્તાન અને બાંગ્લાદેશમા વાતચીત કરનાર ગુજરાતભરનાં અનેક લોકોની એક યાદી તૈયાર કરવામા આવી હતી. એટીએસએ આવા ફોન કોલને આંતરી તેની માહીતી મેળવી હતી અને જેમાથી રાજકોટનાં પ00 લોકોની એક યાદી પોલીસ કમિશનરને મોકલવામા આવી હતી. જેનાં આધારે રાજકોટ પોલીસ દ્વારા આ લોકોની પુછપરછ કરી આધાર પુરાવા ચકાસવામા આવી રહયા છે.

આંતકવાદી હુમલાની ઘટના બાદ દેશભરનાં લોકો આ ઘટનાથી ભારે દુખી છે અને સરકાર પણ આ ઘટનાને લઇને સતર્ક બની છે અને કેન્દ્રીય ગુપ્તચર એજન્સી દ્વારા સરકારે આપેલી સુચનાને પગલે દેશભરમાથી ગેરકાયદેસર ઘુષણખોરી કરનાર બાંગ્લાદેશીઓની શોધખોળ કરવામા આવી રહી છે. બીજી તરફ આંતકવાદી હુમલાની ઘટના બાદ સરકારે પાકિસ્તાનનાં નાગરીકોનાં વીઝા રદ કરી તેમને પરત મોકલવાની કાર્યવાહી શરૂ કરી છે. ગૃહ વિભાગનાં આદેશ બાદ રાજકોટ, અમદાવાદ, બરોડા અને સુરત પોલીસ દ્વારા ગુજરાતમા ઘુસેલા ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓને શોધી રહી છે જેમા અમદાવાદ, સુરત અને વડોદરામા 1000 જેટલા બાંગ્લાદેશીઓની આધારની ચકાસણી કરવામા આવી છે તો બીજી તરફ રાજકોટ શહેર પોલીસ દ્વારા ચેકીંગમા આવા 13 જેટલા બાંગ્લાદેશી ઘુષણખોરો મળી આવ્યા હતા અને જીલ્લામા ઉપલેટા અને ધોરાજીમા બે ઘુષણખોરો મળી આવ્યા હોય તેની સામે કાર્યવાહી કરવામા આવી છે.

Advertisement

પોલીસ દ્વારા પાકિસ્તાન અને બાંગ્લાદેશી ઘુષણખોરો સામે શરૂ કરેલ સર્ચ ઓપરેશન દરમ્યાન એટીએસમાથી મળેલી માહીતીનાં આધારે બાંગ્લાદેશ અને પાકિસ્તાનમા ફોન ઉપર વાતચીત કરનાર પ00 લોકોનુ લીસ્ટ રાજકોટ શહેર પોલીસને મળ્યુ હતુ. એટીએસએ આપેલા લીસ્ટનાં આધારે હવે રાજકોટ શહેરનાં આવા 500 લોકો જેને પાકિસ્તાન અને બાંગ્લાદેશમા ફોન પર વાતચીત કરી છે તે તમામને પોલીસે તેડુ મોકલ્યુ છે. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા સાથે અધીક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહીલ, ડીસીપી ઝોન 1 સજજનસિંહ પરમાર તથા ડીસીપી ઝોન ર જગદીશ બાંગરવાનાં માર્ગદર્શન અને સુચના હેઠળ ક્રાઇમ બ્રાંચ, એસઓજી સહીતની મહત્વની બ્રાંચ તેમજ પોલીસ સ્ટેશન દ્વારા આવા પ00 લોકોની પુછપરછ માટે તેડુ મોકલ્યુ છે. પોલીસે શરૂ કરેલી પુછપરછમા આ લોકોનાં આધાર પુરાવાની પણ ચકાસણી કરવામા આવી રહી છે. આંતકવાદી હુમલાની ઘટના બાદ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાથી થયેલા ફોન કોલની કેટલીક માહીતી એટીએસને મળ્યા બાદ ગુજરાતભરમા આ મામલે તપાસ શરૂ કરવામા આવી હોવાનુ પોલીસ અધીકારીઓએ જણાવ્યુ હતુ.

રાજકોટ જિલ્લાના 200 લોકોની ગ્રામ્ય એસઓજી દ્વારા પૂછપરછ
રાજકોટ જીલ્લામા પણ પાકિસ્તાની અને બાંગ્લાદેશી નાગરીકોનુ સર્ચ ઓપરેશન પોલીસ દ્વારા શરૂ કરવામા આવ્યુ હોય જેમા જીલ્લામાથી બે બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર વસવાટ કરતા મળી આવ્યા હતા. તો બીજી તરફ પાકિસ્તાન અને બાંગ્લાદેશમા ફોન પર વાતચીત કરનાર જીલ્લાનાં ર00 જેટલા લોકો હાલ પોલીસનાં રડારમા આવ્યા છે. એટીએસએ આપેલા લીસ્ટનાં આધારે આ તમામ લોકોની ગ્રામ્ય પોલીસવડા હિમકરસિંહની સુચનાથી ગ્રામ્ય એસઓજી ટીમ પુછપરછ કરી રહી છે તેમજ આ મામલે સ્થાનીક જીલ્લાનાં તમામ પોલીસ સ્ટેશનમા પણ શકમંદો અંગેની માહીતીની ચકાસણી કરવા સુચના આપી હોય રાજકોટ જીલ્લાનાં તમામ પોલીસ મથકનાં સ્ટાફે તપાસ શરૂ કરી છે. જીલ્લામા ર00 લોકો કે જેમણે પાકિસ્તાન અને બાંગ્લાદેશમા ફોનથી વાતચીત કર્યાનુ જાણવા મળતા તમામની તપાસ કરવામા આવી રહી છે .

Advertisement
Tags :
Advertisement
Advertisement