ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વિમાન દુર્ઘટના, વિરાટ અનુષ્કાનો ભાવુક સંદેશ

10:50 AM Jun 13, 2025 IST | Bhumika
Advertisement

અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઈન્ડિયાના વિમાનમાં સવાર તમામ 242 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. વિરાટ કોહલી અને તેમની પત્ની અનુષ્કા શર્માએ પણ આ દુ:ખદ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. વિરાટને આ દુર્ઘટનામાં તમામ 242 લોકોના મૃતદેહ જોઈને આઘાત લાગ્યો છે તેમણે તમામ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. બીજી તરફ અનુષ્કા શર્માએ પણ એક ભાવનાત્મક સંદેશ શેર કર્યો છે.

Advertisement

કોહલીએ પોસ્ટ કરી વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી અને કહ્યું આજે અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાથી આઘાત લાગ્યો છે. હું તેનાથી પ્રભાવિત થયેલા તમામ લોકોના પરિવારો માટે પ્રાર્થના કરું છું. બીજી તરફ, અનુષ્કા શર્માએ લખ્યું, આજે અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાના સમાચાર સાંભળીને ખૂબ જ દુ:ખ થયું. મારા વિચારો અને પ્રાર્થનાઓ બધા સાથે છે.

વિરાટ અને અનુષ્કા પહેલા, ક્રિકેટ સાથે સંકળાયેલી ઘણી મોટી હસ્તીઓએ આ દુ:ખદ ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપી છે. આ મુશ્કેલ સમયમાં બધાએ અસરગ્રસ્ત લોકો અને તેમના પરિવારો માટે શાંત્વના પાઠવી છે.

Tags :
AhmedabadAhmedabad News GUJARAT NEWSAhmedabad plane crashAir India flightAir India Plane CrashANUSHKA SHARMAindiaindia newsplane crashplane tragedyVirat Kohli
Advertisement
Next Article
Advertisement