રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

માતાના મઢે દર્શને જતા પદયાત્રીનું અજાણ્યા ટેમ્પોની ઠોકરે મોત

11:38 AM Oct 17, 2024 IST | admin
Advertisement

બોટાદ પાસે પાળિયાદ રોડ ઉપર બનેલી ઘટના: પ્રૌઢે રાજકોટ સારવારમાં દમ તોડયો

Advertisement

વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માતો સર્જાયા હોવાની અનેક ઘટના પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ એક ઘટનામાં બોટાદમાં રહેતા પ્રૌઢ માતાના મઢે દર્શને જતા હતા ત્યારે અજાણ્યા ટેમ્પો ચાલાકે પદયાત્રી પ્રૌઢને ઠોકરે ચડાવતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢનું રાજકોટ સારવારમાં મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ બોટાદમાં પાળીયાદ રોડ ઉપર રહેતા શાંતુભાઇ મનુભાઈ ખાચર નામના 46 વર્ષના પ્રૌઢ બોટાદ પાળીયાદ રોડ ઉપર ચાલીને જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા ટેમ્પોના ચાલાકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા શાંતુભાઈ ખાચરને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારગત કારગત નિવડે તે પૂર્વે જ શાંતુભાઈ ખાચરે હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. આ અંગે ગાંધીગ્રામ પોલીસને જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને જરૂૂરી કાર્યવાહી કરી પ્રૌઢના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો.

આ ઘટના અંગે બોટાદ પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક શાંતુભાઈ ખાચર માતાના મઢે ચાલીને દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે પદયાત્રી શાંતુભાઈ ખાચરને અજાણ્યા ટેમ્પો ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી અકસ્માત સર્જી નાસી છૂટેલા ટેમ્પો ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Tags :
bhavnagardeathgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement