રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

યાત્રિક ગણ કૃપયા ધ્યાન દે: જનરલ ટિકિટ ત્રણ દીવસ અગાઉ બૂક કરાવી શકાશે

05:37 PM Feb 21, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

પશ્ચિમ રેલ્વે તેના મુસાફરોને સુવિધાજનક અને મુશ્કેલી રહિત મુસાફરીનો અનુભવ આપવા માટે પ્રતિબદ્ધ છે.આ દિશામાં, રેલ્વે દ્વારા મુસાફરોને ગેર -ઉપનગરીય ખંડ પર 200 કિમીથી વધુની મુસાફરી માટે ત્રણ દિવસ અગાઉ (મુસાફરીનો દિવસ સિવાય) અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરવાની સુવિધા પૂરી પાડી રહી છે. આ સુવિધા અનરિઝર્વ્ડ ટિકિટિંગ સિસ્ટમ (ઞઝજ) ના તમામ કાઉન્ટરો પર ઉપલબ્ધ છે, જેનાથી મુસાફરો માટે ટિકિટ બુક કરવાની સુવિધા અને સરળતા સુનિશ્ચિત કરે છે.

Advertisement

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક દ્વારા જારી કરાયેલી એક અખબારી યાદી અનુસાર, આ પહેલનો ઉદ્દેશ્ય ટિકિટ કાઉન્ટરો પર ખાસ કરીને હોળી, દિવાળી, ઉનાળા/શિયાળાની રજાઓ, ક્રિસમસ અને અન્ય રજાઓ જેવી પીક ટ્રાવેલ સીઝન દરમિયાન ભીડ અને લાઈનો ઘટાડવાનો છે. પશ્ચિમ રેલ્વે મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ યૂટીએસ બુકિંગ વિન્ડો પર છેલ્લી ઘડીની ભીડ થી બચવા અને પરેશાની મુક્ત મુસાફરીનો આનંદ માણવા માટે આ એડવાન્સ બુકિંગ સુવિધાનો લાભ ઊઠાવે.

વિનીતે માહિતી આપી હતી કે ઘણા મુસાફરો હજુ પણ આ સુવિધાજનક જોગવાઈથી અજાણ છે અને પશ્ચિમ રેલ્વે તેના વિશે જાગૃતિ ફેલાવવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. આ સુવિધા ખાસ કરીને લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરો માટે ફાયદાકારક છે, કારણ કે તે તેમને તેમની મુસાફરીનું આયોજન કરી શકે છે અને ટિકિટ પણ અગાઉથી બુક કરી શકે છે. આનાથી મુસાફરોને પીક ટ્રાવેલ સીઝન દરમિયાન રાહત મળશે.
મુસાફરોને તેમની મુસાફરીનું આયોજન અગાઉથી કરવા અને સરળ, તણાવમુક્ત અને આરામદાયક મુસાફરી અનુભવ માટે આ સુવિધાનો લાભ લેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.

Tags :
General ticketsgujaratgujarat newspassengerstrain
Advertisement
Advertisement