ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બસપોર્ટમાં બેસવા-પાણીના ધાંધિયાથી મુસાફરો હેરાન

06:21 PM Apr 16, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

રાજકોટ એસ.ટી બસ પોર્ટ ડેપો મેનેજરની ઘોર બેદરકારીને કારણે સતત વિવાદોમાં રહે છે. રાજકોટ એસ.ટી બસ પોર્ટના પાણીના પરબો પૈકી પ્લેટફોર્મ નંબર 22 પર નું એક પરબ જેમાં ચાર નળ માંથી એક પણ નળમાં પાણીનું ટીપું આવતું નહોતું.

Advertisement

તમામ પ્લેટફોર્મ પૈકી આ પ્લેટફોર્મ પર મુસાફરો સીટીંગ વ્યવસ્થા ઓછી હોવાને પગલે દાહોદ ગોધરા જતા ગરીબ પરિવારોને એસટી બસ સ્ટેશનમાં પ્લેટફોર્મ પર નીચે બેસવાની ફરજ પડે છે. અને આ પ્લેટફોર્મ પર પાણી ન આવતું હોવાને પગલે હજારો મુસાફરો જ્યારે પાણીના પરબે જાય ત્યારે ભોઠા પડે છે.

ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલાની ફરિયાદ મળતા તેઓ રૂૂબરૂૂ પ્લેટફોર્મ નંબર 22 પર જઈ જોયું તો પાણીનું એક ટીપું આવતું નહોતું જે પગલે ટ્રાફિક કંટ્રોલરને ફરિયાદ કરી ફરજ પરના સ્ટેન્ડ ઇન્ચાર્જ સુભાષભાઈ ચાવડા ને બોલાવી પ્લેટફોર્મ ઉપરના પાણીના પરબે રૂૂબરૂૂ લઈ જઈ પાણી ન આવતું હોવાની ફરિયાદ કર્યા બાદ રાજકોટના કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા ડેપો મેનેજર ઘનશ્યામ હરિભાઈ ચગને મેસેજ દ્વારા જાણ કરવામાં આવી હતી અને આ અંગે વિભાગીય નિયામકને જે બી કરોતરાને પણ પાણીના પરબમાં પાણીના ધાંધિયા નિવારવા રજૂઆત કરી હતી.

કોઈ કારણોથી પાણીનું પરબ બંધ થાય અને પાણીનું પરબ બંધ રહે ત્યાં સુધી તે પરબ પર પાણીની નાંદ અથવા પાણીના બેરલ મુકાવા જોઈએ. અને જો એ તંત્રને ન કરવું હોય તો ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ ના હેલ્પલાઇન નંબર 94262 29396 પણ જાણ કરે તો બંધ પરબે મુસાફર હિતરક્ષક સમિતિની મુસાફરોને પાણી પીવડાવવાની સંપૂર્ણ તૈયારી છે.

Tags :
gujaratgujarat newsrajkotRajkot Bus Portrajkot news
Advertisement
Advertisement