ગુજરાતના સાત સહિત ભારતના 24 એરપોર્ટ પર પેસેન્જર ફ્લાઈટ પર બેન
અમદાવાદ એરપોર્ટથી 33 ફ્લાઈટ્સનું સમયપત્રક ખોરવાયું, 22 ફ્લાઈટ્સ રદ
ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર વધતા તણાવને કારણે ભારત સરકારે ગુજરાતના સાત એરપોર્ટને નોટિસ ટુ એરમેન (ગઘઝઅખ) જારી કરી છે. હવે આ એરપોર્ટ પર કોઈપણ પ્રકારની પેસેન્જર ફ્લાઇટ્સ ચલાવવાની મંજૂરી નથી. પાકિસ્તાન દ્વારા સતત હવાઈ હુમલા કરવામાં આવી રહ્યા છે. આ કારણોસર સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભલે ભારતે અત્યાર સુધી પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા તમામ હવાઈ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા છે, પરંતુ સાવચેતીના પગલા તરીકે ગુજરાતના સાત એરપોર્ટને નોટિસ ટુ એર જારી કરવામાં આવી છે.
ભારત સરકાર દ્વારા કુલ 24 એરપોર્ટ પર એરમેનને નોટિસ જારી કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં જામનગર, રાજકોટ (હિરાસર), પોરબંદર, કેશોદ, કંડલા, ભુજ અને મુન્દ્રા (અદાણી) એરપોર્ટનો સમાવેશ થાય છે. આ એરપોર્ટ સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવ્યા છે. એરમેનને નોટિસ આપવાથી ફ્લાઇટ કામગીરી પર અસ્થાયી રૂૂપે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેનો ઉદ્દેશ્ય હવાઈ સુરક્ષા જાળવવાનો અને સશસ્ત્ર દળો માટે ઓપરેશનલ તૈયારી સુનિશ્ચિત કરવાનો છે.
ખોરવાયેલી ફ્લાઇટ્સમાં ઇરાકી એરવેઝની અમદાવાદ-નજાફ ફ્લાઇટ, ઇન્ડિગો અને આકાશ એરની અમદાવાદ-શ્રીનગર ફ્લાઇટ, ઇન્ડિગોની અમદાવાદથી ચંદીગઢની ત્રણ ફ્લાઇટ્સ, ઇન્ડિગોની અમદાવાદ-કિશનગઢ, એર ઇન્ડિયાની અમદાવાદ-દિલ્હી, સ્ટાર એરની અમદાવાદ-ભુજ અને એલાયન્સ એરની અમદાવાદ-કેશોદ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.
ઉપરાંત, ઇરાકી એરવેઝ નજફ-અમદાવાદ, ઇન્ડિગોની જેદ્દાહ-અમદાવાદ, એર ઇન્ડિયાની લંડન-અમદાવાદ, આકાશ એર અને ઇન્ડિગોની શ્રીનગર-અમદાવાદ માટે બે ફ્લાઇટ્સ, એલાયન્સ એરની કેશોદ-અમદાવાદ, સ્ટાર એરની ભુજ-અમદાવાદ, ઇન્ડિગોની કિશનગઢ-અમદાવાદ, ઇન્ડિગોની 3 ચંદીગઢ-અમદાવાદ ફ્લાઇટ્સ અને ઇન્ડિગોની અમૃતસર-અમદાવાદ ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ પર પહોંચતી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે સુરક્ષા વ્યવસ્થા વધારાતા દરેક યાત્રીકોને ત્રણ કલાક પહેલા પહોંચવા આદેશ આપવામાં આવ્યા છે.