For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

‘ગુજરાત મિરર’ના ડાયરેકટર તરીકે જોડાતા પરેશભાઇ ગજેરા

03:57 PM Oct 04, 2024 IST | Bhumika
‘ગુજરાત મિરર’ના ડાયરેકટર તરીકે જોડાતા પરેશભાઇ ગજેરા
Advertisement

અખબારી દુનિયામાં વિશ્ર્વાસ સાથે તટસ્થતા સાથે આગળ વધી રહેલ ‘ગુજરાત મિરર’ પરિવારમાં હવે રાજકોટ અને ગુજરાતની અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા અને યુવા ઉદ્યોગપતિ-બિલ્ડર પરેશભાઇ ગજેરાનું આગમન થતા ગુજરાત મિરર પરિવાર વધુ મજબૂત બન્યો છે. આજે બીજા નોરતે આદ્યશક્તિ માં જગદંબાના આશીર્વાદ સાથે પરેશભાઇ ગજેરાએ ‘ગુજરાત મિરર’ના ડાયરેકટર તરીકે પદભાર સંભાળતા ગુજરાત મિરરના તંત્રી સંજય પટેલ અને પાર્ટનર કમલનયનભાઇ સોજીત્રા અને સ્ટાફના મિત્રોએ તેમને ઉષ્માભેર આવકારી પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું અને ગુજરાત મિરરે મીડિયા થકી શરૂ કરેલી સેવાની સફર વધુ મજબૂત બનાવવા અને મૂલ્યનિષ્ઠ મીડીયાક્ષેત્રમાં સૌના સાથથી ‘ગુજરાત મિરર’ને નવી ટોચે લઇ જવાનો સંકલ્પ કર્યો હતો.

આ ઉપરાંત ગુજરાત મિરર ફાઉન્ડેશન દ્વારા ચાલી રહેલી સેવાકીય પ્રવૃત્તિઓને પણ રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર અને ગુજરાત લેવલના તમામ ક્ષેત્રો સુધી વિસ્તારી સામાજિક, શૈક્ષણિક, સહકાર, સ્વાસ્થ્ય, ઉદ્યોગ અને ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રમાં સેવાકીય પ્રવૃત્તિઓને અગ્રીમતા આપવા પણ સંકલ્પ કર્યો હતો. ‘ગુજરાત મિરર’ના ડાયરેકટર તરીકે જોડાયેલા પરેશભાઇ ગજેરા ગુજરાતભરમાં તમામ ક્ષેત્રમાં વિશાળ મિત્ર વર્તુળ ધરાવે છે અને રાજકોટ બિલ્ડર એસો., ખોડલધામ, સરદાર ધામ, ક્રેડાઇ-ગુજરાત સહિતની મોટી સંસ્થાઓ અને સંગઠનો સાથે જોડાયેલા છે અને રાજકોટનો ઉર્જાવાન ચહેરો છે. સંજય પટેલ અને કમલનયનભાઇ સોજીત્રાની માફક સંઘર્ષ કરીને સ્વબળે આગળ વધી રહેલ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement