For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નવા મકાનની સગવડ ન થતા યુવાને ગળેફાંસો ખાઇ લીધો

04:28 PM Jul 24, 2024 IST | admin
નવા મકાનની સગવડ ન થતા યુવાને ગળેફાંસો ખાઇ લીધો

રૈયા રોડ પર બનાવ: થોડા સમય પહેલાં જ યુવાનની જામનગર સગાઇ થઇ છે

Advertisement

શહેરના રૈયારોડ કનૈયા ચોક પાસે રહેતા યુવાને ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પીટલે ખસેડાયો છે. નવુ મકાન લેવાની સગવડ ન થતા તેમણે આ પગલું ભરી લીધું હતું.

બનાવની વધુ વિગતો અનુસાર રૈયારોડ કનૈયા રોડ પાસે રહેતા વિવેક અમરાભાઇ પરમાર (ઉ.20)એ આજે સવારે ઘરે પંખામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ લેતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો. વિવેક પારલે બિસ્કીટનું માર્કેટીંગ કરે છે. પિતા કલરકામ કરે છે. તેમને માતા હયાત નથી.

Advertisement

વિવેકને નવા મકાન લેવાની સગવડ ન થતા આ પગલુ ભર્યું હતું. તેમની જામનગરની યુવતી સાથે સગાઇ થઇ હતી. હાલ વિવેકની સારવાર ચાલી રહી હોવાનું પોલીસમાંથી જાણવા મળી રહ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement