For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

17મીએ કોઇ પરિણામ જાહેર થવાનું નથી, શિક્ષણ બોર્ડે અફવા ફગાવી

04:50 PM Apr 14, 2025 IST | Bhumika
17મીએ કોઇ પરિણામ જાહેર થવાનું નથી  શિક્ષણ બોર્ડે અફવા ફગાવી

Advertisement

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)એ સોશિયલ મીડિયા પર ફેલાયેલી એક બનાવટી અખબારી યાદીને રદિયો આપીને સ્પષ્ટ કર્યું છે કે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ-2025ના પરિણામો હજુ જાહેર થયા નથી. આ ખોટી યાદીમાં દાવો કરાયો હતો કે માર્ચ-2025માં યોજાયેલી પરીક્ષાઓનું પરિણામ 17 એપ્રિલ, 2025ના રોજ સવારે 9:00 વાગ્યે બોર્ડની વેબસાઇટ પર જાહેર થશે. બોર્ડે આ માહિતીને સંપૂર્ણપણે ખોટી ગણાવી અને વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શિક્ષકોને ભ્રામક માહિતીથી સાવધ રહેવા જણાવ્યું છે. અધિકૃત પરિણામની જાહેરાત માત્ર બોર્ડની વેબસાઇટ લતયબ.જ્ઞલિ પર કરવામાં આવશે.

ગુજરાત શિક્ષણ બોર્ડના નાયબ નિયામક (પરીક્ષા) દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે સોશિયલ મીડિયા પર ફેલાયેલી આ યાદી બનાવટી છે અને બોર્ડ દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આવી ખોટી માહિતી વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોમાં ભ્રમ અને અસંતોષ ફેલાવી શકે છે, જે શિક્ષણની પવિત્રતા અને બોર્ડની વિશ્વસનીયતા માટે નુકસાનકારક છે. બોર્ડે ખાસ ઉલ્લેખ કર્યો કે માર્ચ-2025માં યોજાયેલી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ-2025ના પરિણામોની જાહેરાતની તારીખ અને સમય અંગેની અધિકૃત માહિતી ફક્ત બોર્ડની વેબસાઇટ અને અધિકારીક ચેનલો દ્વારા જ પ્રસિદ્ધ કરવામાં આવશે. આ ઘટનાએ સોશિયલ મીડિયા પર ફેલાતી ગેરમાહિતીના જોખમોને ફરી એકવાર ઉજાગર કર્યા છે, ખાસ કરીને શૈક્ષણિક પરિણામો જેવા સંવેદનશીલ વિષયોને લઈને. બોર્ડે વિદ્યાર્થીઓ અને વાલીઓને અપીલ કરી છે કે તેઓ આવી અફવાઓથી ગેરમાર્ગે ન જાય અને માત્ર અધિકૃત સૂત્રો પર જ વિશ્વાસ રાખે. બોર્ડે આ બનાવટી યાદીની ઘટનાને ગંભીરતાથી લઈને તેની ઉત્પત્તિ અને ફેલાવની તપાસ કરવાની શક્યતા પણ દર્શાવી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકી શકાય.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement