For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મદદનીશ કેળવણી નિરીક્ષકોને સીધું પ્રમોશન નહીં

04:05 PM Mar 25, 2025 IST | Bhumika
મદદનીશ કેળવણી નિરીક્ષકોને સીધું પ્રમોશન નહીં

સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવી પડશે, શિક્ષણ વિભાગનો પરિપત્ર જાહેર, રોસ્ટર પદ્ધતિ યથાવત રહેશે

Advertisement

રાજ્યના શિક્ષણ વિભાગે મદદનીશ કેળવણી નિરીક્ષકો (વર્ગ-3)ની બઢતીના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવેથી આ પદ પર સીધી બઢતી આપવામાં આવશે નહીં, પરંતુ લાયક ઉમેદવારોએ બઢતી મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવી પડશે. આ નિર્ણયનો હેતુ વધુ લાયકાત ધરાવતા ઉમેદવારોને તક આપવાનો છે.

શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં મદદનીશ કેળવણી નિરીક્ષકની બઢતી અને સીધી ભરતી અંગેના નિયમો સ્પષ્ટ કરવામાં આવ્યા છે.નવા નિયમો અનુસાર, બઢતી માટે હવે માત્ર પરીક્ષા જ નહીં, પરંતુ ઉમેદવારનો ખાનગી અહેવાલ, ખાતાકીય તપાસ અંગેનું પ્રમાણપત્ર, HTAT તરીકેનો ફરજનો સમયગાળો અને હિન્દી તેમજ કોમ્પ્યુટર જ્ઞાન અંગેના પ્રમાણપત્રોની ચકાસણી પણ કરવામાં આવશે. અગાઉ, મદદનીશ કેળવણી નિરીક્ષકોને અનુભવ, કામગીરી અને વરિષ્ઠતાના આધારે સીધી બઢતી આપવામાં આવતી હતી. પરંતુ હવે શિક્ષણ વિભાગે આ પ્રક્રિયામાં ફેરફાર કરીને સ્પર્ધાત્મક પરીક્ષાને ફરજિયાત બનાવી છે. વિભાગનું માનવું છે કે આનાથી વધુ યોગ્ય અને સક્ષમ ઉમેદવારો આ પદ માટે પસંદ થશે.

Advertisement

આ નિર્ણયમાં અનામત પ્રથાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. બઢતીમાં રોસ્ટર પદ્ધતિ યથાવત રહેશે, જેથી અનામત વર્ગના ઉમેદવારોને પણ નિયમો અનુસાર તક મળી રહે. શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ અને સંબંધિત શાસનાધિકારીઓને આ અંગે જરૂૂરી સૂચનાઓ આપવામાં આવી છે. પરિપત્રમાં જણાવ્યા અનુસાર, મદદનીશ કેળવણી નિરીક્ષકની બઢતી માટે સ્પેશિયલ કોમ્પિટિટિવ એક્ઝામ (ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા) લેવામાં આવશે. આ પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે જ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને બઢતી માટે પસંદગી કરવામાં આવશે.

મહત્વની સૂચનાઓ અનુસાર: HTAT મુખ્ય શિક્ષકમાંથી મદદનીશ કેળવણી નિરીક્ષક (વર્ગ-3)માં બઢતી માટે હાલ જે જિલ્લા/નગરમાં ફરજ બજાવતા હોય ત્યાં જ મેરિટના આધારે બઢતી આપવામાં આવશે. દરેક જિલ્લા અને નગર શિક્ષણ સમિતિમાં ઉચ્ચત્તર પગારધોરણ માટેની જે બઢતી સમિતિ છે, તે જ આ બઢતીની કાર્યવાહી કરશે અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાસનાધિકારી દ્વારા બઢતીના હુકમો કરવામાં આવશે.

ઉંમરવાળાને અગ્રતા અને અંતે નામના કક્કાવારી ક્રમ અનુસાર પસંદગી કરવામાં આવશે.લાયક ઉમેદવારો પાસેથી દરખાસ્તો મંગાવીને તમામ જિલ્લા/નગર સમિતિઓએ આગામી તારીખ 31/03/2025 સુધીમાં બઢતી માટેની પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement