For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વનતારાની થીમ ઉપર સજાવાઈ નવી નકોર 38 લક્ઝરી કાર

01:02 PM Mar 01, 2024 IST | Bhumika
વનતારાની થીમ ઉપર સજાવાઈ નવી નકોર 38 લક્ઝરી કાર

અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ સેરેમનીમાં દેશ-વિદેશથી બિઝનેસનમેન, હોલિવૂડ-બોલિવૂડ સ્ટાર્સ તેમજ સિંગર્સ સહિતના સેલેબ્સ જામનગર પધારી રહ્યાં છે. જેમના સ્વાગત માટે એરપોર્ટને જામનગરની બાંધણી થીમ પર શણગારી દેવાયું છે. ત્યારે સ્પેશિયલ ગેસ્ટને માત્ર એરપોર્ટથી રિલાયન્સ ટાઉનશીપ લઈ જવા માટે ત્રણ-ચાર નહીં પણ 38 જેટલી નવેનવી ઇખઠ કાર મંગાવી છે. આ તમામ લક્ઝરીઝ કારને વનતારાના થીમ પર શણગારવામાં આવી છે. ખુદ અનંત અંબાણીની જ ઈચ્છા હતી કે, મહેમાનોને લેવા-મૂકવા જતી કાર્સને વનતારા થીમથી શણગારવામાં આવે. સામાન્ય રીતે લગ્નમાં ગુલાબ અને બુકેથી અને ફૂલોથી ગાડીઓ શણગાર કરવામાં આવતી હોય છે પરંતુ એરપોર્ટ પર અને રિલાયન્સ ખાવડીના કેમ્પસમાં અનેક ગાડીઓ મહેમાનને લેવા-મૂકવા સેલિબ્રિટીઓ માટે ફરી રહી છે. પરંતુ ખાસ અનંતની ઈચ્છાથી મોટાભાગની કાર્સને અલગ-અલગ પ્રાણીઓના સ્ટીકર્સ જેમ કે, હાથી, મોર, હરણ અને કુદરતી દૃશ્યથી મોડીફાઇડ કરવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement