PMના કાર્યક્રમમાં નવી બસો ફાળવી રૂટ ઉપર ભંગાર બસો દોડાવાઇ
ખખડધજ બસોમાં ગુર્જરનગરીનું ભાડું વસુલતું એસ.ટી. તંત્ર, કેન્સલ રૂટનું એનાઉન્સ પણ બંધ
સાવરકુંડલા ડેપોની બસમાં 35ની કેપેસિટી સામે 45નું બુકિંગ કરી નાખ્યું
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, જીગ્નેશભાઈ બોરડ, પટેલ જેન્તીભાઈ હિરપરા, હબીબભાઈ કટારીયા, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, સરલાબેન પાટડીયા, પ્રફુલાબેન ચૌહાણ ની સંયુક્ત યાદી જણાવે છે કે ગઈકાલે વડાપ્રધાન ના કચ્છના કાર્યક્રમોમાં સરકારી નવી નકોર એસ.ટી બસો ફાળવી દેતા 2500 રુટો કેન્સલ કરાતા બે દિવસ ભારે અફડા તફડી થઈ ગઈ હતી. રાજકોટ એસ.ટી બસ પોર્ટ પર બે દિવસ વાતાવરણ તંગ જોવા મળ્યું હતું ડેપો મેનેજર ઘનશ્યામભાઈ ચગ મુસાફરોને પડતી મુશ્કેલીઓ અંગે ગાયબ થઈ ગયા હતા.
રાજકોટ ડેપો પર હજારો મુસાફરો ની અવરજવર વચ્ચે એસ.ટી અધિકારીઓના સંકલનના અભાવે રાજકોટ ડેપોના કંટ્રોલરૂૂમ ખાતેથી કયા રૂૂટ કેન્સલ કર્યા છે તેની કંટ્રોલરૂૂમ ના માઇક દ્વારા ઉદઘોષણા કરવામાં આવતી નહોતી. એસ.ટી તંત્ર દ્વારા મુસાફરો પાસેથી ગુર્જર નગરી નું ભાડું વસૂલી ભંગાર, ખખડધજ, ઓવર એજ કિલોમીટર ચાલેલી લોકલ રૂૂટમા પણ ન ચાલે એવી બસોને 400 થી 500 કિલોમીટર એક્સપ્રેસ અને ગુર્જર નગરી બનાવી મુસાફરોના જાનના જોખમે ચલાવી હતી. તસવીરમાં દેખાતી અંબાજી ડેપોની રાજકોટથી અંબાજી GJ18Z 4218 નંબરની બસ ગુર્જરનગરી છે. લોકલ માં પણ ન ચાલે છતાં લાલ બોર્ડ લગાવી એક્સપ્રેસ ચલાવી પરંતુ ભાડું ગુર્જર નગરીનું લેતા મુસાફરોની ફરિયાદ મળતા અંબાજીના ડેપો મેનેજર સાથે ગજેન્દ્રસિંહ ઝાલાએ જ્યારે વાત કરી ત્યારે તેઓએ જણાવ્યું કે અમને અરજી આપે તો અમે તેના ખાતામાં ગુર્જરનગરી ના પેટે લીધેલી રકમ જમા કરશું અરે ડેપો મેનેજરને ખ્યાલ છે કે તમે કેવી બસ મોકલી છે તો પછી અરજી મુસાફર શા માટે કરે ઓન ધ સ્પોટ વધેલી રકમ જમા કરાવવી જોઇએ. વધુમાં સાવરકુંડલા ડેપો બપોરે ચાર વાગે ઉપડતી રાજકોટ સાવરકુંડલા બસ નંબર GJ18Z 9332 તસ્વીરમાં દેખાતી બસ મીની બસ છે.
35 મુસાફરોની કેપેસિટી છે અને 45 નું રિઝર્વેશન કરી નાખતા સાવરકુંડલાનો અંધેરી નગરી ગંડુ રાજા જેવો વહીવટ સામે આવ્યો હતો અને 10 સીટ વધુ રિઝર્વેશન કરી નાખતા રાજકોટમાં ટ્રાફિક કંટ્રોલર ઓફિસ પાસે હોબાળો થયો. ઉગ્ર રજૂઆતના કારણે બસ 4-40 પછી ઉપાડવી પડી અંતે જાફરાબાદની બસમાં જગ્યા હોય અગાઉ રિઝર્વેશન કરનારા મુસાફરોને બેસાડવામાં આવ્યા આ અંગે મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા સાવરકુંડલા ડેપો મેનેજર ને જાણ કરાતા તેઓએ પોતાની ભૂલ કબૂલી હતી.
આવી જ એક મોરબી ડેપોની બસ રાજકોટ મોરબી ચમનપર બસ નંબર ૠઉં-18ણ 5051 ગિયર માં ફસાઈ જતા એસ.ટી બસ સ્ટેશન પાસે રસ્તા વચ્ચે ઊભી રહી જતા ઢેબર રોડ પર અડધો રસ્તો રોકતા કલાકો સુધી ત્યાં ને ત્યાં રહેતા ટ્રાફિક જામ ન સર્જાય તે માટે રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ ના કંટ્રોલરૂૂમમાં જાણ કરી બસ ત્યાંથી તાત્કાલિક હટાવવા રજૂઆત કરી હતી.
---