ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પાટડી તાલુકામાં ખેતરોમાં નર્મદા નીર ફરી વળ્યા

11:39 AM Jul 07, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં નર્મદા કેનાલના પાણીએ ખેડૂતો માટે મુશ્કેલી ઊભી કરી છે. કમાલપુર ગામના ખેતરોમાં કેનાલનું પાણી ફરી વળતાં 500થી વધુ વીઘા જમીનમાં ઊભા પાકને નુકસાન થયું છે.
આ નુકસાનની રકમ આશરે બે કરોડ રૂૂપિયા હોવાનું અંદાજવામાં આવ્યું છે. કમાલપુર ગામના ખેડૂતોએ આ મુદ્દે દસાડા-લખતરના ધારાસભ્ય પી.કે.પરમાર અને પાટડી મામલતદારને રજૂઆત કરી છે.

Advertisement

ખેડૂત આગેવાન રાજુભાઈ રામાનુજે જણાવ્યું કે કેનાલના પાણીથી ઊભા પાકનો સોથ વળી ગયો છે.
નર્મદા કેનાલ જે સુરેન્દ્રનગર જિલ્લા માટે વરદાન સમાન છે, તે કમાલપુર ગામ માટે આફત બની છે. દસાડા તાલુકાના 89માંથી 87 ગામોમાં નર્મદાનું પાણી પહોંચ્યું છે. પરંતુ કમાલપુરમાં એક તરફ ચોમાસું અને બીજી તરફ કેનાલના પાણીએ ખેડૂતોની સ્થિતિ વધુ કફોડી બનાવી છે.

ધારાસભ્ય પી.કે.પરમારે જણાવ્યું કે સંકલન બેઠકમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. નર્મદા વિભાગના અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. ખેડૂતોની સમસ્યાનું જલદી નિરાકરણ લાવવા માટે તંત્ર દ્વારા પ્રયાસો શરૂૂ કરવામાં આવ્યા છે.

Tags :
gujaratgujarat newsPatdipatdi news
Advertisement
Advertisement