For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીના ચાચાપરની સીમમાં 17 કુંજ પક્ષીના ભેદી મોત

12:32 PM Dec 04, 2025 IST | Bhumika
મોરબીના ચાચાપરની સીમમાં 17 કુંજ પક્ષીના ભેદી મોત

મોરબી તાલુકાના ચાચાપર ગામની સીમમાં કુંજ પક્ષીના ભેદી સંજોગોમાં મોત થયા હતા આશરે 15 થી 17 જેટલા કુંજ પક્ષીના મોત થતા ફોરેસ્ટ વિભાગની ટીમ દોડી ગઈ છે અને તપાસ ચલાવી છે.

Advertisement

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ચાચાપર ગામની સીમમાં 15 થી 17 કુંજ પક્ષીના મોત થયા છે ઘટનાની જાણ થતા રેંજ ફોરેસ્ટ ઓફિસર સહીત વનવિભાગની ટીમ ચાચાપર ગામ દોડી ગઈ હતી ફોરેસ્ટ વિભાગના વેટરનીટી ડોકટરની ટીમે મૃતદેહોના સેમ્પલ લીધા હતા બનાવ અંગે વનવિભાગનો સંપર્ક કરતા અધિકારીએ પીએમ રીપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે તેમ જણાવ્યું હતું જોકે પક્ષીના મૃત્યુથી પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને જીવદયાપ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement