ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

દ્વારકામાં મુસ્લિમો, તેમના ધર્મસ્થળો અને કબ્રસ્તાનોને નિશાન બનાવાયા

12:08 PM Jan 27, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના ચીફ અસદુદ્દીન ઓવૈસી વકફ બિલને લઈને સતત ભાજપ સરકાર પર નિશાન સાધી રહ્યા છે. ફરી એકવાર તેમણે બિલને લઈને પાર્ટી પર પ્રહારો કર્યા. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતી વખતે ઓવૈસીએ ગુજરાતના Dwarkaમાં થયેલી બુલડોઝર કાર્યવાહીનો ઉલ્લેખ કરીને સરકાર પર નિશાન સાધ્યું હતું.

ઓવૈસીએ કહ્યું કે દ્વારકામાં તોડફોડ મુસ્લિમો, તેમના પૂજા સ્થાનો અને કબ્રસ્તાનોને નિશાન બનાવીને કરવામાં આવી હતી.તેઓ સુપ્રીમ કોર્ટના આદેશનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહ્યા હતા. તોડી પાડવામાં આવેલ કબ્રસ્તાન અને દરગાહને સરકારી રેકોર્ડમાં આ રીતે માન્યતા આપવામાં આવી હતી.

સરકારે ક્યારેય તેમની સ્થિતિને પડકારી નથી. વધુમાં, એઆઈએમઆઈએમ ચીફે કહ્યું કે તાજેતરના ડિમોલિશન કુદરતી ન્યાયના સિદ્ધાંતોને અનુસર્યા વિના કરવામાં આવ્યા હતા. આ અત્યંત નિંદનીય છે. ઓવૈસીએ કહ્યું કે, તોડી પાડવાથી એ પણ સાબિત થાય છે કે મોદી સરકાર શા માટે વકફ બિલમાં સુધારો કરવા અને વકફ સામે રક્ષણને નબળું પાડવા માંગે છે.

વાસ્તવમાં તાજેતરમાં Dwarka જિલ્લામાં સરકારે બુલડોઝરનો ઉપયોગ કર્યો હતો. અહીંના 7 ટાપુઓમાં ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા બાંધકામોને તોડી પાડીને અતિક્રમણ મુક્ત કરવામાં આવ્યા હતા. સરકારે આ કાર્યવાહી દરમિયાન કુલ 36 બાંધકામોને તોડી પાડ્યા હતા.

જેમાં ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા ધાર્મિક બાંધકામોનો સમાવેશ થાય છે. આ દરમિયાન વહીવટીતંત્ર દ્વારા હઝરત પંજ પીરની દરગાહને પણ તોડી પાડવામાં આવી હતી.

Tags :
Asaduddin OwaisiDwarkadwarka newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement