વેરા વળતર યોજનાથી મનપાને 40 દી’માં 116 કરોડની આવક
ગત વર્ષની તુલનાએ 10,137 વધુ કરદાતાઓએ રૂા.6.53 કરોડ મિલકત વેરો ભરપાઈ કર્યો
મહાનગરપલિકા દ્વારા પ્રમાણીક કરદાતાઓ માટે દર વર્ષે 1 એપ્રિલથી 31 મે સુધી એડવાન્સ મિલ્કતવેરો ભરનારને 10 ટકા વળતર આપવાની યોજના અમલમાં મુકવામાં આવતી હોય છે. જેને દર વર્ષે જબરો પ્રતિસાદ સાપડી રહ્યો છે. શહેરની મિલ્કતો વધવાની સાથો સાથ પ્રમાણીક કરદાતાઓમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. કારણ કે, ગત વર્ષે વેરા વળતર યોજનાની તુલનાએ આ વર્ષે ફક્ત 40 દિવસમાં મહાનગરપાલિકાએ 116 કરોડની વેરાવસુલાત કરી છે. જે ગત વર્ષ કરતા 6.53 કરોડ વધુ અને 10,137 નવા પ્રમાણીક કરદાતાઓ નોંધાયા છે.
મહાનગરપાલિકાની આ વર્ષની વેરાવળતર યોજના 1 એપ્રિલથી 10 ટકા મિલ્કતવેરા વળતર યોજના અમલમાં પહોંચી છે દર વર્ષે પ્રમાણીક કરદાતાઓ આ યોજનાની રાહ જોતા હોય છે. જેના લીધે 1 એપ્રિલથી વેરાવળતર યોજના શરૂ થતાં જ પ્રમાણીક કરદાતાઓનો ભારે ધસારો જોવા મળ્યો છે. અમિન માર્ગસીવીક સેન્ટર ખાતે 2019 કરદાતા, સેન્ટ્રલ ઝોન સીવીક સેન્ટર ખાતે 3370 કરદાતા, ઈસ્ટઝોન સીવીક સેન્ટર ખાતે 2383 કરદાતા, કોઠારિયા રોડ સીટી સીવીક સેન્ટર ખાતે 1548 કરદાતા, કૃષ્ણનગર સીવીક સેન્ટર ખાતે 1413 કરદાતા અને સૌથી વધુ વેબસાઈટ એટલે કે, ઓનલાઈન એટલે કે 135220 કરદાતા તેમજ વેસ્ટઝોન સીવીક સેન્ટર ખાતે 4353 કરદાતા અને વોર્ડ ઓફિસ ખાતે 36054 સહિત 186459 કરદાતાઓએ રોકડા 238677252 તેમજ ચેકથી 129836711 અને ઓનલાઈન 800923589 કરદાતાઓએ રૂપિયા 1169437546 રૂપિયા મિલ્કતવેરા પેટે ભરપાઈ કર્યા છે. જે ગત વર્ષની તુલનાએ 10137 નવા કરદાતાઓ અને રૂપિયા 6.53ની વધારાની આવક વેરાવિભાગમાં નોંધાઈ છે.
ગત વર્ષે પ્રમાણીક કરદાતાઓએ અમિન માર્ગ સીવીક સેન્ટર પર 1867 કરદાતાઓએ તથા સેન્ટ્રલઝોન સીવીક સેન્ટર ખાતે 4270 કરદાતા તેમજ ઈસ્ટઝોન સીવીક સેન્ટર ખાતે 2573 કરદાતા તથા કોઠારિયા રોડ સીટી સીવીક સેન્ટર ખાતે 1678 કરદાતા તેમજ કૃષ્ણનગર સીવીક સેન્ટર ખાતે 1447 કરદાતા જ્યારે વેબસાઈટ મારફતે સૌથી વધુ 124754 કરદાતા તેમજ વેસ્ટઝોન સીવીક સેન્ટર ખાત 4210 અને તમામ વોર્ડ ઓફિસ ખાતે 35513 સહિત 176322 કરદાતાઓએ વેરો ભરપાઈ કર્યો છે. જેમાં રોકડથી 235021012 રૂપિયા અને ચેક મારફતે 134846336 રૂપિયા અને ઓનલાઈન 734252459 રૂપિયા વેરો ભરપાઈ કરતા મહાનગરપાલિકાને ફક્ત 40 દિવસમાં રૂપિયા 1104119837 રૂપિયાની ગત વર્ષે આવક થઈ હતી.
90 હજારથી વધુ વર્ષો જૂના બાકીદારો હેમખેમ
મહાનગરપાલિકાની મુખ્ય આવક મિલ્કતવેરાનો લક્ષ્યાંક પુર્ણ કરવા માટે વર્ષ દરમિયાન સતત બાકીદારો વિરુદ્ધ મિલ્કત સીલીંગ તેમજ મિલ્કતજપ્તી સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે. છતાં રેગ્યુલર કરદાતાઓને બાદ કરતા 90 હજારથી વધુ બાકીદારો વર્ષોથી વેરો ભરપાઈ કરતા નથી અને અનેકની મિલાકતો આજે પણ સીલ થયેલી હાલતમાં છે જેની સામે ભાડુઆત તેમજ મિલ્કતને લગતા કોર્ટ કેસ ચાલુ હોય તેવી મિલ્કતો તેમજ સરકારી અને પ્રાઈવેટ કંપનીઓ સહિતના પેન્ડીંગ કેસ હોય તેવી મિલ્કતો પેટે આજે પણ 1100 કરોડથી વધુરૂપિયાની ઉઘરાણી બાકી રહેલ છે. આથી ગત વર્ષની માફક આ વર્ષે પણ 90 હજારથી વધુ જૂના બાકીદારો હેમખેમ રહી જશે તેવું લાગી રહ્યું છે.