For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માતાની તાત્કાલિક સર્જરી, ત્રણ વર્ષથી નાના બાળકોને છોડી FSL નિષ્ણાંતોની અવિરત સેવા

05:27 PM Jun 16, 2025 IST | Bhumika
માતાની તાત્કાલિક સર્જરી  ત્રણ વર્ષથી નાના બાળકોને છોડી fsl નિષ્ણાંતોની અવિરત સેવા

Advertisement

અમદાવાદ વિમાન દુર્ઘટનાના દુ:ખદ પ્રસંગે, જ્યારે સમગ્ર દેશ શોકમગ્ન છે, ત્યારે કોઈ નજરે ન પડતા હીરો - ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL )ના નિષ્ણાતો, નખશિખથી પોતાની ફરજ નિભાવી રહ્યા છે.36 જેટલા સમર્પિત ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ પોતાની વ્યકિતગત પીડા અને મુશ્કેલીઓના છતાં પણ 24સ7 ફરજ પર છે. આ ટીમના એક નિષ્ણાતનું ઉદાહરણ હૃદયસ્પર્શી છે - જેમની માતા ફક્ત 20% હ્રદયની ચાલી રહ્યું છે અને જીવ માટે ઝઝૂમી રહી છે અને તેમને તાત્કાલિક સર્જરી જરૂૂરી છે. છતાં પણ આ નિષ્ણાત વ્યક્તિગત સંજોગો છોડીને ડીએનએ ટેસ્ટિંગના દાયિત્વમાં સતત લાગેલા છે.આ સિવાય, આ ટીમમાંની 8 મહિલા નિષ્ણાતો એવી છે જેમના બાળકો 3 વર્ષની ઉમરથી નાના છે.

આ મહિલા નિષ્ણાતોએ પોતાના નાનકડા બાળકોની કાળજીને પછાડી મૂકી, પોતાની કુટુંબજિંદગીને સ્થગિત રાખીને, ફોરેન્સિક તપાસને અગ્રતા આપી છે. તેમની નિષ્ઠા અને માનવતાપૂર્ણ સેવાભાવ વ્યાવસાયિકતા માટે એક જીવંત ઉદાહરણ છે.હર્ષ સંઘવીએ પણ આ સમગ્ર બાબતે તેમનો જુસ્સો વધારવા ટીમને દુનિયા સમક્ષ લાવી તેમના કાર્યને બિરદાવ્યું છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તેમણે લખ્યું.. અમે આ નાયકોને સલામ કરીએ છીએ. જેમણે પોતાના પારિવારિક કે પર્સનલ અનેક સંઘર્ષો હોવા છતાં પણ દુર્ઘટનાથી પીડિત પરિવારોને ન્યાય અને સુવિધા મળે તે માટે રાતદિવસ યથાશક્તિ પ્રયાસ કર્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement