ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વર્ધમાનનગરમાં પુત્રએ ધમકી આપતા માતાનો આપઘાતનો પ્રયાસ

04:22 PM Apr 28, 2025 IST | Bhumika
Advertisement

ચાર દિવસમાં પુત્ર વિરૂધ્ધ બીજી ફરિયાદ નોંધાવી

Advertisement

શહેરનાં જામનગર રોડ પર વર્ધમાનનગરમા રહેતા પ્રૌઢાને તેમના નાના પુત્રએ મોબાઇલમા ફોન કરી પોતાના બાળકો આપી દેવાનુ કહી અને બાળકોને નહી આપો તો જાનથી મારી નાખવાની ધમકી આપતા તેઓએ ફીનાઇલ પી લઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામા આવ્યા છે. પ્રૌઢાએ તેમના પુત્ર વિરૂધ્ધ ચાર દિવસમા બીજી ફરીયાદ નોંધાવી હતી.

વધુ વિગત મુજબ વર્ધમાનનગરમા રહેતા ધૃપતબા મહેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ. પ4) એ પોતાની ફરીયાદમા લક્ષ્મીવાડીમા રહેતા સંજયરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા વિરુધ્ધ ફરીયાદ નોંધાવી હતી. આ ફરીયાદમા ધૃપતબાએ જણાવ્યુ હતુ કે સંજયસિંહનાં પત્નીને 8 થી 10 મહીના પહેલા અવસાન થયુ હતુ. પુત્ર સંજયસિંહ હાલ માતા - પિતાથી અલગ રહે છે. તેમને સંતાનમા એક પુત્ર અને બે દિકરી છે. જેમા એક પુત્ર તેમજ મોટી દિકરી ધૃપતબા સાથે રહે છે. અને એક નાની દિકરી સંજયસિંહ સાથે રહે છે. ગઇ તા 21 નાં રોજ સંજયસિંહે રાતનાં પોણા આઠેક વાગ્યે ધૃપતબા સાથે બોલાચાલી કરી અને બળજબરીથી ગાડીમા બેસાડી જઇ પડધરી બાજુ લઇ જઇ ત્યા ઉતારી દીધા હતા જે મામલે યુનિવર્સીટી પોલીસ મથકમા ફરીયાદ નોંધવામા આવી હતી અને સંજયસિંહની ધરપકડ થઇ હતી.

ત્યારબાદ તા. 23 ના રોજ સાંજના સાતેક વાગ્યે દિકરા સંજયસિંહનો ફોન આવ્યો હતો અને કહયુ હતુ કે મને મારા સંતાનો આપી દો. મારે ફઇબાનાં ઘરે મુકવા જવાના છે. અને જાનથી મારી નાખવાની ધમકી આપતા ધૃપતબાએ ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ ધૃપતબા ડરી જતા પોતાના ઘરે જ ફીનાઇલ પી લઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ તેમને તેમનાં પતિ મોટી ટાંકી ચોકમા આવેલી વેદાંત હોસ્પિટલમા સારવાર માટે લઇ ગયા હતા. હાલ આ અંગેની તપાસ હેડ કોન્સટેબલ મુનાભાઇ ચલાવી રહયા છે .

Tags :
gujaratgujarat newsrajkotrajkot newssuicide
Advertisement
Next Article
Advertisement