For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોડીનારમાં બી.પી. લો થઇ જવાથી માતા-પુત્રના એક જ દિવસે મૃત્યુ

01:05 PM Oct 11, 2025 IST | Bhumika
કોડીનારમાં બી પી  લો થઇ જવાથી માતા પુત્રના એક જ દિવસે મૃત્યુ

માતાના મૃત્યુના સમાચાર મળતાં જ પુત્રએ પણ અંતિમ શ્ર્વાસ લીધા

Advertisement

કોડીનારમાં વણકર વાસમાં રહેતા ચુડાસમા પરિવારના માતા પુત્રના એક સાથે જ મૃત્યુ થતાં બંનેની સ્મશાન યાત્રા એક સાથે જ કાઢવામાં આવતા આ વિસ્તારના લોકોમાં ગમગીની સાથે શોકનું મોજું ફરી વળ્યું હતું.

જોગાનું જોગ બનેલી આ ઘટનાની વિગત એવી છે કે કોડીનારના ત્રીકમરાય મંદિર પાસેના વણકરવાસમાં રહેતા ગંગાબેન ગોવિંદભાઈ ચુડાસમા તેમના સંતાનોમાં ત્રણ પુત્રો અને ચાર દીકરી છે તેમાં મોટો પુત્ર જેઠાભાઈ ગોવિંદભાઈ ચુડાસમા અને માતા ગંગાબેન બંને ઘણા સમયથી બીમાર હતા દરમિયાન આજરોજ સાંજના સમયે બીમારીથી ગંગાબેન ને લો બીપી થઈ જતા અંતિમ શ્વાસ લીધા હતા.

Advertisement

અને આ સમાચાર તેના પુત્રને મળતા પણ તેને પણ લો બીપી થઈ જતા તેનું પણ મૃત્યુ થયું હતું આમ જોગાનું જોગ માતા પુત્ર બંને એક સાથે જ અંતિમ શ્વાસ લેતા તેમની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાન થી કાઢવામાં આવી હતી અને લોકોમાં શોખનું મોજુનું ફરી વળ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement