રાજધાની અને શતાબ્દી એક્સપ્રેસમાં તત્કાલ બુકિંગ માટે મોબાઇલ નં. ફરજિયાત
દેશભરમાં રાજધાની અને શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનોમાં તત્કાલ ટિકિટ બુકિંગ સુરક્ષિત કરવા માટે OTP -આધારિત સિસ્ટમ લાગુ કરવામાં આવી રહી છે. આ સુવિધા 28 નવેમ્બર, 2025 થી દૌરાઈ-નવી દિલ્હી શતાબ્દી એક્સપ્રેસ પર અને 4 ડિસેમ્બર, 2025 થી સાબરમતી-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ પર ઉપલબ્ધ થશે. તત્કાલ રિઝર્વેશન માટે, તમારો મોબાઇલ નંબર આપવો ફરજિયાત રહેશે, જે OTP પ્રાપ્ત કરશે.
તત્કાલ ટિકિટ રિક્વિઝિશન ફોર્મ ભરતી વખતે, મુસાફરોએ હવે તેમનો મોબાઇલ નંબર લખવો પડશે. રેલ્વે કાઉન્ટર પર ટિકિટ ખરીદતી વખતે, મુસાફરના મોબાઇલ નંબર પર OTP મોકલવામાં આવશે. આ OTP કર્મચારી સાથે શેર કર્યા પછી જ ટિકિટ આપવામાં આવશે. આનાથી ટિકિટ દલાલ અને નકલી પાસના ઉપયોગ પર નોંધપાત્ર રોક લાગશે.
રેલ્વેએ જાહેરાત કરી કે 4 ડિસેમ્બર, 2025થી અજમેરમાં સ્ટોપઓવર સાથે સાબરમતી-નવી દિલ્હી-સાબરમતી રાજધાની એક્સપ્રેસ (12957/12958) પર પણ OTP -આધારિત તત્કાલ ટિકિટિંગ લાગુ કરવામાં આવશે. આગામી દિવસોમાં દેશભરમાં 102 શતાબ્દી અને રાજધાની ટ્રેનોમાં આ સુવિધા તબક્કાવાર શરૂૂ કરવામાં આવશે.
1 ડિસેમ્બરથી પાયલોટ પ્રોજેકટ લાગુ કરવામાં આવશે. પશ્ચિમ રેલ્વે રેલ્વે બોર્ડના નિર્દેશ મુજબ તત્કાલ બુકિંગ સિસ્ટમમાં નોંધપાત્ર ફેરફાર લાગુ કરાયો છે. તત્કાલ ટિકિટ હવે સિસ્ટમ દ્વારા મોકલવામાં આવેલા વન-ટાઇમ પાસવર્ડ (OTP ) ની ચકાસણી પછી જ જારી કરવામાં આવશે.
આ OTP બુકિંગ સમયે મુસાફર દ્વારા આપવામાં આવેલા મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે. OTP -આધારિત તત્કાલ પ્રમાણીકરણ સિસ્ટમ 1 ડિસેમ્બરથી લાગુ કરવામાં આવશે. શરૂૂઆતમાં આ સિસ્ટમ ટ્રેન નંબર 12009/12010 મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ પર લાગુ કરવામાં આવશે.