ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સંતોષીનગરમાં પરિણીતાએ ફાંસો ખાઇ જિંદગીનો અંત આણ્યો

04:57 PM Jul 05, 2025 IST | Bhumika
oplus_2097152
Advertisement

આપઘાતનું કારણ અકબંધ: પતિ યાર્ડમાં ખરીદી કરવા ગયા બાદ પગલુ ભર્યું

Advertisement

શહેરમાં પોપટપરા નાલા પાસે આવેલ ઝુપડામાં 22 વર્ષીય પરિણિતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. હજુ ચારેક મહિના પહેલા જ દયા ઉધરેજીયાએ ભાગીને લખન સાથે લવ મેરેજ કર્યાં હતા. પરિણીતાના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શહેરમાં પોપટપરા નાલા પાસે આવેલ ઝુપડામાં રહેતી દયાબેન લખનભાઈ ઉઘરેજીયા નામની 22 વર્ષની પરિણીતાએ આજે વહેલી સવારે ઝુંપડામાં ગળાફાંસો ખાઈ લેતા 108ના ઇએમટીએ જોઈ તપાસી મૃત જાહેર કરતા પતિવારમાં અરેરાટી સાથે કરૂૂણ કલ્પાંત સર્જાયો હતો. પોલીસ તપાસમાં જાણવા મળેલ કે, દયાએ અગાઉ ભુપગઢના યુવાન સાથે લવ મેરેજ કર્યા હતા. પહેલા લગ્નથી તેને પાંચ વર્ષનો પુત્ર છે. જે પછી લખનનો સંપર્ક ઇન્સ્ટાગ્રામ મારફત દયા સાથે થયો હતો.
દયા લખનની કૌટુંબિક ભાણેજ પણ થતી હોય, બંને સંપર્કમાં આવ્યા બાદ પ્રેમ સંબંધ બંધાતા હજુ ચાર માસ પહેલા જ બંનેએ ભાગીને લગ્ન કર્યા હતા. આપઘાતનું કારણ ઘરકંકાસ છે કે, પછી અન્ય કોઈ કારણ છે તે જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દયાના માવતરના સભ્યો ભગવતીપરામાં રહેતા હોય તેઓને જાણ કરાઈ હતી.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newssuicide
Advertisement
Next Article
Advertisement