ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોરબીના લીલાપર ગામે ગળાફાંસો ખાઈ પરિણીતાનો આપઘાત

11:33 AM Jul 01, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

લીલાપર રોડ પર આવેલ કારખાનામાં રહીને કામ કરતી 25 વર્ષની પરિણીતા કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે.

મૂળ ઓરિસ્સાના વતની અને હાલ મોરબીના લીલાપર રોડ પર આવેલ ગુરુકૃપા ટાઈલ્સ કટિંગ કારખાનામાં રહીને કામ કરતા રશ્મિકાબેન બલરામભાઈ ગીરી (ઉ.વ.25) નામની પરિણીતા ગત તા. 29 જુનના રોજ પોતાના રૂૂમમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું મૃતકનો લગ્નગાળો છ વર્ષનો હોવાનું અને સંતાનમાં એક બાળક હોવાનું જાણવા મળ્યું છે મોરબી તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે.

જીકીયારી ગામે રહેતા 41 વર્ષીય આધેડના થોડા માસ પૂર્વે છુટાછેડા થયા હતા અને બાદમાં એકલવાયા જીવનથી કંટાળી એસીડ પી લેતા આધેડનું સારવારમાં મોત થયું હતું.

મોરબીના જીકીયારી ગામના રહેવાસી વિજય ચકુભાઈ સોલંકી (ઉ.વ.41) નામના આધેડ એસીડ પી લેતા સારવારમાં મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક વિજયભાઈ અને પત્ની લક્ષ્મીબેનનો ઘરસંસાર સારી રીતે ચાલતો ના હોવાથી પાંચ મહિના પૂર્વે બંનેએ છુટાછેડા લીધા હતા બાદમાં એકલું જીવન જીવતા હતા અને કોઈ કામધંધો મળતો ના હોવાથી કંટાળી પોતાની જાતે એસીડ પી લેતા સારવારમાં મોત થયાનું જાણવા મળ્યું છે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

Tags :
gujaratgujarat newsmorbimorbi newssuicide
Advertisement
Next Article
Advertisement