48 દિવસમાં 56 કરોડ ભેગા કરવા મનપાના મરણિયા પ્રયાસો
વધુ 7 મિલકત સીલ, 7ને જપ્તીની નોટિસ, રૂા.50.35 લાખની વેરા વસુલાત
મહાનગર પાલિકાના વેરાવિભાગ દ્વારા 375 કરોડનો લક્ષ્યાંક પુર્ણ કરવા મિલ્કત વેરો બાકી હોય તેવા આસામીઓ વિરુદ્ધ કડક રિકવરી ઝુંબેશ હાથ ધરી છે. હવે આ વર્ષના બાકી રહેલા 48 દિવસમાં 56 કરોડથી વધુ ભેગા કરવાના હોય આજે ત્રણેય ઝોનમાં અલગ અલગ ટીમ દ્વારા કોમર્શીયલની એક લાખથી વધુવેરોબાકી હોય તેવી સાત મિલ્કત સીલ કરી વધુ સાત આસામીઓને જપ્તીની નોટીસ ફટકારી હતી. સ્થળ ઉપરરૂા. 50.35 લાખની વેરાવસુલાત કરી હતી.
મનપાના વેરાવિભાગ દ્વારા રણછોડવાડીમાં 1-યુનિટ્ની નોટીસ સામે રીકવરી રૂૂ.40,000, ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.2.00 લાખ, કાલાવાડ રોડ પર આવેલ 2-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.97,818, ગોંડલ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.2.00 લાખ, સમ્રાટ ઇન્ડ એરીયામાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.51,170, અમરનગરમાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.1.00 લાખ, ગોંડલ રોડ પર આવેલ વૈધવાડીમાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.2.00 લાખ, ઢેબર રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.82,860, કોઠારીયા રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.97 લાખ, કોઠારીયા રોડ પર પસ્વાતી પાર્કમાંથ આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલ કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.93,579, 80 ફુટ રોડ પર આવેલ નક્રિષ્ણા એન્ટરપ્રાઇઝથ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.60,000, 80 ફુટ રોડ પર આવેલ નસંસ્કાર જવેલર્સથ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.60,000, ગુરુક્રુપા સોસાયટીમાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલ કાર્યવાહી કરતા રૂૂ.63,000ની રિકવરી કરી હતી.
આ કામગીરી મેનેજર વત્સલ પટેલ, નિરજ વ્યાસ ,સિદ્ધાર્થ પંડયા, ફાલ્ગુનીબેન કલ્યાણી, નિલેશ કાનાણી, તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ દ્વારા આસી.કમિશ્નર સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.