ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

લાખોનું કૌભાંડ કરનાર જૂનાગઢની શ્રીજી ક્રેડિટ સોસાયટીના સંચાલકો ઝડપાયા

11:48 AM Aug 09, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

જૂનાગઢના જોષીપરા વિસ્તારમાં આવેલા અનુપમ એપાર્ટમેન્ટમાં રહેતા કિરણભાઈ દત્તાત્રેયભાઈ દયાળ જયશ્રી રોડ સ્થિત શ્રીજી ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીમાં નોકરી કરતા હતા. તે વખતે તેમને સંસ્થા ચેરમેન ભુવન જે. વ્યાસ સહિતના સંચાલકોએ તેમની સંસ્થામાં નાણા રોકવા સાથે સોસાયટીની વિવિધ યોજનાઓનો લાભ લેવા જણાવ્યું હતું. જેથી કિરણભાઈએ કુલ 37 ફિક્સ ડિપોઝિટનાં ખાતા ખોલાવ્યા હતા. જેમાં તેમણે કુલ રૂ.14.56 લાખથી વધુનું રોકાણ કર્યું હતું. જેમની આપવી પડતી રકમ પરત ન આપતા પોલીસ ફરિયાદ કરી હતી.
જેનાં પગલે એસઓજીએ શ્રીજી ક્રેડિટ કો.ઓ. સોસાયટીના ચેરમેન ભુવનભાઈ જ્યવંતભાઈ વ્યાસ, મેનેજિંગ ડાયરેક્ટર પરાગ રમેશભાઈ નિમાવત, મેનેજર ઉત્તમ દેવશીભાઈ કાછડીયાની બુધવારે રાત્રે ધરપકડ કરી હતી અને ગુરુવારે 7 દિવસનાં રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરતા અદાલતે રવિવાર સાંજ સુધી 4 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા.

અન્ય રોકાણકારોની શોધખોળ, સભાસદો અંગે તપાસ શ્રીજી ક્રેડિટ કો.ઓ. સોસાયટીના ચેરમેન સહિત 4 સામેની વિશ્વાસઘાત, છેતરપિંડીની ફરિયાદ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે. આ 4 આરોપીઓ પૈકી વાઇસ ચેરમેન પરેશભાઈ ભીખાલાલ મહેતા મૃત્યુ પામ્યા હોય બાકીનાં સંસ્થાના સંચાલકો વિરુદ્ધ પુરાવા એકત્ર કરવાની સાથે અન્ય રોકાણકારોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. તેમજ સંસ્થાના સભાસદોની સત્તાવાર માહિતી પણ મેળવવાનું શરૂ કરવામાં આવ્યું છે.

Tags :
gujaratgujarat newsJunagadhJunagadh NEWSShreeji Credit Society
Advertisement
Advertisement