For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢના માંગરોળમાં મોટી દુર્ઘટના: જર્જરિત મકાન ધરાશાયી થતાં દાદા-પૌત્રનું મોત

01:46 PM Sep 04, 2025 IST | Bhumika
જૂનાગઢના માંગરોળમાં મોટી દુર્ઘટના  જર્જરિત મકાન ધરાશાયી થતાં દાદા પૌત્રનું મોત

Advertisement

જૂનાગઢના માંગરોળમાં મોટી દુર્ઘટના બની છે. માંગરોળમાં એક જર્જરિત મકાન ધરાશાયી થતાં દાદા અને તેમના પૌત્રનું મોત થયું છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે.

મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના માંગરોળના ચા બજાર વિસ્તારમાં બની હતી. એક જર્જરિત અચાનક ઘરાશાયી થયું હતું. આ મકાન જયારે ઘરાશાયી થયું ત્યારે દાદા તેમનો પૌત્ર સાથે બાઇક પર ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન મકાનનો કાટમાળ સીધો તેમના પર પડ્યો હતો. જેના કારણે બંને ગંભીર રીતે ઘાયલ થયા અને ઘટનાસ્થળે જ મોત થયું હતું.

Advertisement

આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. કાટમાળ હટાવવાની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement