For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જસદણના નવાગામે જૂના મન દુ:ખના કારણે વકીલ યુવાન પર કૌટુંબિક મામાનો હુમલો

11:56 AM Jul 10, 2024 IST | Bhumika
જસદણના નવાગામે જૂના મન દુ ખના કારણે વકીલ યુવાન પર કૌટુંબિક મામાનો હુમલો
Advertisement

રાજકોટ જિલ્લાના જસણતાલુકાના નવા ગામે બે પરિવાર વચ્ચે ચાલી આવતી માથાકુટનો ખાર રાખી બાઈક પર જસદણ કોર્ટે જવા નિકળેલા વકિલ યુવાન પર કૌટુંબીક મામા સહિત ચાર શખ્સોએ હુમલો કર્યો હતો. જ્યારે સામાપક્ષે પણ વકીલ સહિત ચાર શખ્સો સામે ખેડુત યુવાન પર હુમલો કરી મારમાર્યાની વળતી ફરિયાદ નોંધાઈ છે.

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ જસદણના આંબરડી ગામે રહેતા અને વકીલાત કરતા અરવિંદ મેઘાભાઈ રાઠોડ ઉ.વ.32 નામના યુવાને પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં ગઈકાલે પોતાનું બાઈક લઈ જસદણ જવા નિકળ્યા હતા. ત્યારે નવા ગામ પાસે કૌટુંબીક મામા રસીક, લખમણભાઈ ઘુઘલ, લાલજી લખમણભાઈ રાઠોડ, દિપક લાલજી રાઠોડ, રાહુલ લાલજી રાઠોડે રસ્તા વચ્ચે રોકી છરી વડે હુમલો કરી માર માર્યાની ફરિયાદ નોંધાવી છે.

Advertisement

જ્યારે સામાપક્ષે જસદણના આંબરડી ગામે રહેતા ખેડુત રસિક લખમણભાઈ ઘુઘલ ઉ.વ.40એ નોંધાવેલ વળતી ફરિયાદમાં મેઘાભાઈ લખમણભાઈ રાઠોડ, પ્રકાશ મેઘાભાઈ રાઠોડ, અરવિંદ મેઘાભાઈ રાઠોડ, વિજય મેઘાભાઈ રાઠોડે જૂની અદાવતનો ખાર રાખી પ્લાસ્ટીકના ધોકા અને છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે જસદણ પોલીસે બન્ને જુથની ફરિયાદ પરથી ગુના નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

જેતપુરમાં પૈસાના ડખામાં યુવાન પર તલવાર વડે હુમલો

જેતપુર સામાકાંઠા વિસ્તારમાં આવેલ નરસંગ ટેકરીમાં રહેતા જયેશ મનસુખભાઈ વેગડા ઉ.વ.45 ગઈકાલે દૂધ લેવા જતા હતા ત્યારે સામાકાંઠે વિસ્તારમાં રહેતા સાજિદ ઉર્ફે સાજલો ફકિર પાસે 1300 રૂપિયા માંગતા આરોપીએ પૈસા આપવાની ના પાડી તલવાર વડે હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement