જામનગર જિલ્લા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ તા. 7 સુધી ચાલશે
જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના મીટિંગ હોલમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. પત્રકાર પરિષદમાં ચૂંટણી અધિકારી એ મીડિયાના માધ્યમથી લોકોને આ કામગીરીમાં સહયોગ આપવા અપીલ કરી હતી. તેઓએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-2026 તા.07-02-2026 સુધી ચાલશે. આવતીકાલ તા.04-11-2025 થી તા.04-12-2025 સુધી ગણતરીનો સમયગાળો અને તા.04-12-2025સુધીમાં મતદાન મથકોનું રેશનલાઈઝેશન/રી-એરેન્જમેન્ટ. આ દરમિયાન બીએલઓ દ્વારા મતદારોના ઘરે જઈ ફોર્મ આપવામાં આવશે.
જે ભરી નાગરિકોએ પરત કરવાના રહેશે તા.05-12-2025થી તા.08-12-2025 સુધી કંટ્રોલ ટેબલનું અપડેશન અને મુસદ્દા મતદારયાદીની તૈયારી, તા.09-12-2025ના રોજ મુસદ્દા મતદારયાદીની પ્રસિદ્ધિ, તા.09-12-2025થી તા.08-01-2026 સુધી હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજુ કરવાનો સમયગાળો રહેશે. તા.09-12-2025થી 31-01-2026 સુધીમાં નોટિસ તબક્કો (નોટિસ ઈશ્યુ કરવી, સુનાવણી અને ચકાસણી); ગણતરી ફોર્મ પર નિર્ણય અને EROs દ્વારા સમકાલીન રીતે હક્ક-દાવા અને વાંધા અરજીઓનો નિકાલ કરવામાં આવશે. અને ત્યારબાદ તા.7-2-2026ના રોજ મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે.
જિલ્લા ચૂંટણી અધિકારી એ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં હાલની સ્થિતિએ કુલ 1242 મતદાનમથકો છે. અને દરેક મથક દીઠ એક બીએલઓની નિમણુક કરવામાં આવી છે. મતદારો પોતાનું અને પોતાના સંબંધીઓનું નામ અગાઉની ખાસ સઘન સુધારણા(SIR ) ની મતદારયાદીમા https://voters.eci.gov.in/પર ચકાસી શકે છે. જેથી તેઓ ગણતરી ફોર્મમાં વિગતો ભરી શકે. મદદ માટે, મતદારો સંબંધિત ઇકઘ નો સંપર્ક કરી શકે છે.
