For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોઇનો વાંક નથી, મારી જાતે આપઘાત કરું છું, સ્યૂસાઇડ નોટ લખી યુવતીનો આપઘાત

04:43 PM Mar 12, 2025 IST | Bhumika
કોઇનો વાંક નથી  મારી જાતે આપઘાત કરું છું  સ્યૂસાઇડ નોટ લખી યુવતીનો આપઘાત

ગોકુલધામ પાસે આંબેડકરનગરનો બનાવ: ચાર માસ પહેલાં સગાઇ થઇ હતી

Advertisement

ગોકુલધામ પાછળ આંબેડકરનગર-15માં રહેતી સોનલબેન પ્રવિણભાઇ કબીરા (ઉ.વ.22) નામની યુવતિએ સાંજે સાડા પાંચેક વાગ્યે ઘરમાં આડીમાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. આ યુવતિની ચારેક મહિના પહેલા જ સગાઇ થઇ હતી. કોઇનો વાંક નથી, હું મારી જાતે સ્યુસાઇડ કરું છું એવું તે ચિઠ્ઠીમાં લખતી ગઇ છે.

મળેલી માહિતી મુજબ,આંબેડકરનગરમાં રહેતી સોનલબેન કબીરાને બેભાન હાલતમાં સાંજે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. તેણીએ ગળાફાંસો ખાઇ લીધાનું કહેવાતાં તબિબે તુરંત સારવાર ચાલુ કરી હતી. પરંતુ તેણીનું મોત થયું હતું. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂૂ, ચંદ્રસિંહ, ભાવેશભાઇ, ધર્મેન્દ્રભાઇ,તૌફિકભાઇએ જાણ કરતાં માલવીયાનગરના એએસઆઇ એચ. ટી. પરમારે હોસ્પિટલે પહોંચી કાર્યવાહી કરી હતી.પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર સોનબલેનના પિતા હયાત નથી. તેણી બે બહેન અને બે ભાઇમાં વચેટ હતી.

Advertisement

તેણીની સગાઇ ચારેક મહિના પહેલા શ્યામનગરના યુવાન સાથે થઇ હતી. ગત સાંજે માતા ગીતાબેન બકાલુ લેવા ગયા હતાં અને બીજુ પણ ઘરે કોઇ નહોતું ત્યારે તેણીએ આ પગલું ભર્યુ હતું. માતા પરત આવી ત્યારે દરવાજો ન ખોલાતાં પડોશીઓને બોલાવી દરવાજો તોડતાં દિકરી લટકતી મળતાં સિવિલમાં ખસેડાઇ હતી પરંતુ જીવ બચ્યો નહોતો. તેણીએ એક સ્યુસાઇડ નોટ લખી હતી જેમાં કોઇનો વાંક નથી, હું મારી જાતે સ્યુસાઇડ કરુ છું એવુ લખ્યું છે. કારણ પરિવારજનો જાણતાં ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement