ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજસત્તા ક્યારે છીનવાઈ જાય તે નક્કી નથી

05:29 PM Oct 13, 2025 IST | Bhumika
Advertisement

ગોપનાથ કથા દરમિયાન રાજસ્વી હસ્તીઓએ કથા અને કથાકાર નો સત્સંગ કર્યો

Advertisement

તળાજા ના મોટાગોપનાથ ખાતે રામકથા ની સાથે સનાતન ધર્મ નો વિશ્વભરમાં વ્યસગાદી પરથી ડંકો વગાડનાર રામાયણી મોરારીબાપુ ની કથા દરમિયાન ભાવનગર જિલ્લાના રાજકીય લોકો પણ હાજર રહી કથા શ્રવણ સાથે વક્તા ના દર્શન કરવા આવ્યા હતા.

અનેક રાજસ્વી વ્યક્તિઓએ પોતાના ફોટાઓ વાયરલ કર્યા હતા.જેમાં હાલના કેન્દ્રીય મંત્રી નિમુંબહેન બાંભણીયા,ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ સહિતના નો સમાવેશ થાય છે. એ લોકો આવ્યા બાદ બીજા દિવસે જિલ્લા ના પૂર્વ સાંસદ અને કેન્દ્રીય લેવલે ભાજપ ના ઉપાધ્યક્ષ રહેલ ભારતીબેન શિયાળ,તળાજા યાર્ડના પ્રમુખ ભીમજીભાઈ પંડ્યા સહિતના એ કથા શ્રવણ અને બપી સાથે રૂૂબરૂૂ થવાનો લાભ લીધો હતો.

સૌએ પોત પોતાના ફોટાઓ વાયરલ કર્યા હતા.એ ફોટાઓ લોકોમાં ચર્ચા નું કેન્દ્ર બન્યા હતા.એકવાત સૌએ કહી હતીકે રાજ સત્તા એ ધર્મ સત્તા ના દર્શન કર્યા હતા.સાથે રાજસત્તા ક્યારે છીનવાઈ જાય અથવા તો લોકશાહી મા પક્ષ કે મતદારો જાકારો આપે તે નેતાઓના કર્મ ઉપર આધાર રાખે છે.લોકશાહી મા રાજસ્વી વર્ચસ્વ ટકાવી રાખવું વધુ મુશ્કેલ છે કારણકે દર પાંચ વર્ષે જનતા પાસે જનાર્દન સમજી ને જવું પડે છે.

Tags :
bhavnagarbhavnagar newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement