For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શાપરમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ જિંદગીથી છેડો ફાડ્યો

11:03 AM Oct 14, 2024 IST | Bhumika
શાપરમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ જિંદગીથી છેડો ફાડ્યો
Advertisement

શાપરમાં આવેલી શાંતિધામ સોસાયટીમાં રહેતી પરિણીતાએ કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પરિણીતાના મોતથી પાંચ વર્ષની પુત્રીએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શાપરમાં આવેલી શાંતિધામ સોસાયટીમાં રહેતી ધર્મિષ્ઠાબેન હરસુખભાઈ પરમાર નામની 28 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં પંખામાં સાડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો પરણીતાના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક ધર્મિષ્ઠાબેન પરમારને સંતાનમાં એક પાંચ વર્ષની પુત્રી છે અને પતી કારખાનેથી ઘેર આવતા ધર્મિષ્ઠાબેન પરમાર લટકતી હાલતમાં જોવા મળી હતી ધર્મિષ્ઠાબેનના મોતનું કારણ જાણવા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે. આ બનાવ અંગે શાપર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement