રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સરધાર ગામે બે ભાઇની એકની એક બહેનનો ગળેફાંસો ખાઇ આપઘાત

05:44 PM Oct 01, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજકોટ તાલુકાના સરધાર ગામે રહેતી બે ભાઇની એક બહેન એવી 23 વર્ષીય યુવતીએ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ રાજકોટ તાલુકાના સરધાર ગામે રહેતી અંજુ કિશોરભાઇ મકવાણા (ઉ.વ.23) નામની યુવતીએ આજે વહેલી સવારે પોતાન ઘરે રૂમમાં ગળેફાંસો ખાઇ લીધો હતો. બાદમાં સવારે માતા ઉઠાડવા જતા પુત્રી લટકતી હાલતમાં મળી આવી હતી. બનાવની જાણ થતા આજીડેમ પોલીસે ઘટના સ્થળે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પીટલ ખસેડી તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં મૃતક અંજુ બેભાઇની એકની એક બહેન હતી તે અપરિણીત અને ઘરકામ કરતી હતી. તેણીએ આ પગલું શા માટે ભરી લીધું? તે અંગે પરિવારજનો પણ અજાણ હોય પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newssuicide
Advertisement
Next Article
Advertisement