For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં સાસરિયાના ત્રાસથી પરિણીતાનો ગળેફાંસો ખાઇ આપઘાત

04:38 PM Aug 20, 2024 IST | admin
મોરબીમાં સાસરિયાના ત્રાસથી પરિણીતાનો ગળેફાંસો ખાઇ આપઘાત

સાસરિયાઓ સામે ગુનો નોંધાયો

Advertisement

મોરબી શહેરમાં સાસરીયા દ્વારા પરણીતાને શારીરિક અને માનસિક દુ:ખ ત્રાસ આપતા સાસરીયાના ત્રાસથી કંટાળી જઈ ગળેફાંસો ખાઈ જતાં પરિણીતાનું મોત નિપજ્યુ હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ ભરૂચ રહેતા કિરણભાઈ શશીકાન્તભાઈ વસાવા (ઉ.વ.32) આરોપી હસમુખભાઈ વાલજીભાઈ પટેલ, જયદીપભાઈ પટેલ, હસમુખભાઈ વાલજીભાઈ પટેલના પરિવારના સભ્યો તમામ રહે. શક્ત શનાળા તા.જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના સગા મોટા બહેન રેખાબેનને આરોપીઓએ ભેગા મળી કોઇના કોઇ બહાને તથા ચારીત્ર્ય ઉપર ખોટા શંકા વહેમ કરી મારઝુડ કરી શારીરીક તથા માનસીક ટોર્ચર કરી આરોપીઓએ રેખાબેનને મરવા મજબુર કરતા રેખાબેને પોતાની સાસરીમાં પોતાની જાતે ગળે ફાંસો ખાંઇ જતા રેખાબહેનનુ મોત નિપજ્યું હતું.

Advertisement

આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સહીંતા 2023 ની કલમ 108 85 54 તથા અનુસુચીત જાતી અને અનુસુચીત આદીજાતી અત્યાચાર અટકાવવા બાબતનો અધિનિયમ 1989 ની કલમ 3(2)(5) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement