For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જયપ્રકાશનગરમાં પત્ની સાથે ઝઘડો થતાં પતિએ ફિનાઇલ પીધું

05:00 PM Oct 10, 2024 IST | Bhumika
જયપ્રકાશનગરમાં પત્ની સાથે ઝઘડો થતાં પતિએ ફિનાઇલ પીધું
Advertisement

શહેરના ભગવતીપરા વિસ્તારમાં આવેલા જય પ્રકાશ નગરમાં રહેતા યુવાને પત્ની સાથે ઝઘડો થતા લાગી આવવાથી ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
જાણવા મળતી વિગત મુજબ, જય પ્રકાશ નગર શેરી નં.17મા રહેતો મહેશ ઉમરાજી ભોયા (ઉ.વ.35)નામના યુવાને આજે સવારે ભગવતીપરા પોલીસ ચોકી સામે ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં મહેશ કારખાનામાં કામ કરતો હોવાનું અને તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. વધુ તપાસમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા લાગી આવવાથી તેણે આ પગલું ભરી લીધાનું ખુલવા પામ્યું હતું.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement