ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અશ્ર્વમેઘ યજ્ઞના આયોજન સાથે મને કાંઇ લેવા દેવા નથી : જામસાહેબ

03:55 PM Dec 01, 2025 IST | Bhumika
Advertisement

જામનગરના મહારાજા જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા અશ્વમેઘ યજ્ઞના આયોજન અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, તેમનું નામ આ યજ્ઞ સાથે જોડવામાં આવી રહ્યું છે તે માત્ર અફવા છે અને તેઓ આ આયોજન સાથે કોઈપણ પ્રકારે સંકળાયેલા નથી. હાલમા સોશિયલ મીડિયામાં એક જાહેર આમંત્રણ ફરતું થયું છે. જેમાં ઉલ્લેખ છે કે, આગામી ફેબ્રુઆરી મહિનામાં રીધમસ ફાઉન્ડેશન દ્વારા અશ્વમેઘ યજ્ઞનું આયોજન થશે. આ આમંત્રણમાં દાવો કરાયો હતો કે વંશાવલીનું પ્રથમ પૂજન જામસાહેબના રાજમહેલમાં થશે અને ત્યાંથી પોથીયાત્રા યજ્ઞશાળા સુધી જશે.

Advertisement

આ અંગે જામસાહેબે સ્પષ્ટતા કરી છે કે, તેમને રીધમસ ફાઉન્ડેશન વિશે કોઈ જાણકારી નથી. તેમણે આ બાબતે કોઈ મંજૂરી આપી નથી અને તેઓ આ અશ્વમેઘ યજ્ઞના આયોજન સાથે કોઈ પણ પ્રકારે જોડાયેલા નથી. મહારાજા જામસાહેબ ઓફ નવાનગર દ્વારા તેમના પ્રજાજનોને આ જાહેર સંદેશ પાઠવવામાં આવ્યો છે, જેમાં તેમણે વાયરલ થયેલી માહિતીને ખોટી ગણાવી છે.

Tags :
ashvamedha yagnagujaratgujarat newsjamnagarjamnagar newsJamsaheb
Advertisement
Next Article
Advertisement