For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અશ્ર્વમેઘ યજ્ઞના આયોજન સાથે મને કાંઇ લેવા દેવા નથી : જામસાહેબ

03:55 PM Dec 01, 2025 IST | Bhumika
અશ્ર્વમેઘ યજ્ઞના આયોજન સાથે મને કાંઇ લેવા દેવા નથી   જામસાહેબ

જામનગરના મહારાજા જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા અશ્વમેઘ યજ્ઞના આયોજન અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, તેમનું નામ આ યજ્ઞ સાથે જોડવામાં આવી રહ્યું છે તે માત્ર અફવા છે અને તેઓ આ આયોજન સાથે કોઈપણ પ્રકારે સંકળાયેલા નથી. હાલમા સોશિયલ મીડિયામાં એક જાહેર આમંત્રણ ફરતું થયું છે. જેમાં ઉલ્લેખ છે કે, આગામી ફેબ્રુઆરી મહિનામાં રીધમસ ફાઉન્ડેશન દ્વારા અશ્વમેઘ યજ્ઞનું આયોજન થશે. આ આમંત્રણમાં દાવો કરાયો હતો કે વંશાવલીનું પ્રથમ પૂજન જામસાહેબના રાજમહેલમાં થશે અને ત્યાંથી પોથીયાત્રા યજ્ઞશાળા સુધી જશે.

Advertisement

આ અંગે જામસાહેબે સ્પષ્ટતા કરી છે કે, તેમને રીધમસ ફાઉન્ડેશન વિશે કોઈ જાણકારી નથી. તેમણે આ બાબતે કોઈ મંજૂરી આપી નથી અને તેઓ આ અશ્વમેઘ યજ્ઞના આયોજન સાથે કોઈ પણ પ્રકારે જોડાયેલા નથી. મહારાજા જામસાહેબ ઓફ નવાનગર દ્વારા તેમના પ્રજાજનોને આ જાહેર સંદેશ પાઠવવામાં આવ્યો છે, જેમાં તેમણે વાયરલ થયેલી માહિતીને ખોટી ગણાવી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement