ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

લોધિકા પંથકના પાછોતરા વરસાદને લઈ કપાસ, સોયાબીન, મગફળી સહિતના પાકોને ભારે નુકસાન

01:32 PM Oct 07, 2025 IST | Bhumika
Advertisement

તંત્ર દ્વારા સર્વે કરાવીને નુકસાનનું વહેલી તકે વળતર ચૂકવવા ખેડૂતોની માંગ

Advertisement

લોધિકા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પાછોતરા વરસાદને પરિણામે ખેડૂતોના પાક લણવાના ટાણે ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો. જે અંગે લોધિકાના કિસાન અશોકભાઈ વસોયા જયંતીભાઈ વસોયા કોઠાપીપળીયા ના જયેશ ઘાડીયા રાજ ઘાડીયા વગેરે ખેડૂતોએ જણાવ્યા અનુસાર લોધીકા પંથકના છેલ્લા કેટલાક દિવસો થી પડી રહેલ વરસાદને પગલે ખેડૂતોને મોઢામાં આવેલ કોડીયા છીનવાઈ ગયેલ છે.

ખેડૂતોએ વાવેલ મગફળી પાકી ગયેલ અને વાડી ખેતરમાં રાખેલ મગફળી પાથરાઓ ઉપર સતત વરસાદ પડતા મગફળીના પાથરા પલડી ગયેલ તેવી જ રીતે મગફળીના પલળી ગયેલ પાથરા ઉપર સફેદ તથા કાળી ફૂગ આવી જતાં પાક નિષ્ફળ તેમજ માલ ઢોરને ખાવા માટે ભૂકો પણ નિષ્ફળતા જવાની નોબત આવેલ છે ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહેલ છે.

આ પંથકમાં સોયાબીન મરચા મગફળી કપાસ વગેરે જણસીઓનુ પણ સારા પ્રમાણમાં વાવેતર થયેલ તે બધા પાકોમાં પણ નુકસાન થયેલ છે ખેડૂતોએ મોંઘા ભાવની દવા મોંઘા બિયારણ મોંઘા ખાતરની ખરીદી કરી મહા મહેનત ઉપર ટાણે પાણી ફરી વળેલ છે ત્યારે આ વિસ્તારમાં તંત્ર દ્વારા સર્વે કરવામાં આવે અને નુકસાની નુ વળતર વહેલી તકે આપે તેવી આ પંથકના ખેડૂતોની રજૂઆત થયેલ છે.

Tags :
gujaratgujarat newsLodhikaLodhika newsrain
Advertisement
Next Article
Advertisement