રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

હાર્ટફેઇલ: રાજકોટમાં વધુ બે જિંદગી ધબકારા ચૂકી

01:15 PM Feb 13, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગીઓ કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે. ત્યારે રાજકોટમાં વધુ બે વ્યક્તિના હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં બનેવી સાથે કારખાનું કરવાની તૈયારી કરી રહેલો યુવાન સામાન ફેરવતો હતો ત્યારે અને આધેડ પોતાના ઘરે બેભાન હાલતમાં ઢળી પડતા મોત નિપજ્યા હતા યુવક અને આધેડના મોતથી બંને પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ ઉપર બાલાજી હોલ પાસે આવેલા શ્રીરામ પાર્ક સોસાયટીમાં રહેતા મોહિલ કિશોરભાઈ સોરઠીયા નામનો 24 વર્ષનો યુવાન રાત્રીના અગીયારેક વાગ્યાના અરસામાં મવડી પ્લોટ વિસ્તારમાં આવેલ ઘનશ્યામ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં હતો. ત્યારે બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે જોઈ તપાસી યુવકનું હૃદયરોગના હુમલાથી મોત નીપજયુ હોવાનું જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક મોહીલ સોરઠીયા માતા-પિતાનો આધાર સ્તંભ અને એકની એક બહેનનો એકનો એક ભાઈ હતો મોહીલ સોરઠીયા બનેવીના મોટા બાપુના કારખાનામા છેલ્લા આઠ દિવસથી કામ શીખવા માટે જતો હતો અને તેના બનેવી સાથે કારખાનું અલગ કરવાનું હોવાથી આરતી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં સામાન ફેરવતો હતો ત્યારે ત્રીજા ફેરે જ મોહિત સોરઠીયાને હદયરોગનો હુમલો આવતા મોત નીપજયુ હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં રેલનગર વિસ્તારમાં સંતોષીનગર પાસે આવેલી સાઈબાબા સોસાયટીમાં રહેતા રમેશભાઈ હીરાભાઈ ગોહેલ નામના 59 વર્ષ પોતાના આધેડ પોતાના ઘરે હતા ત્યારે રાત્રિના સાડા દસેક વાગ્યાના અરસામાં તેમને અચાનક હૃદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા આધેડને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે છે રમેશભાઈ ગોહેલનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી હતી. પ્રાથમિક પૂછપરછમાં રમેશભાઈ ગોહેલ ત્રણ ભાઈ ચાર બહેનમાં નાના હતા અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. રમેશભાઈ ગોહેલને સંતાનમાં એક પુત્ર અને ચાર પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
deathgujaratgujarat newsheart attackrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement