ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

હૃદયરોગના હુમલાએ વધુ ત્રણ ભોગ લીધા

06:55 PM Nov 23, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાથી દરરોજ અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે. ત્યારે રાજકોટમાં મહિલા સહિત વધુ બે વ્યક્તિના હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યા છે. જેમાં શાપરમાં પ્રોઢા, કોઠારીયા મેઇન રોડ ઉપર આનંદનગરમાં આધેડ અને રામ પાર્કમાં વૃદ્ધનું મોત નિપજતા પરિવારમાં ગંદગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરની ભાગોળે આવેલા શાપરમાં રહેતા પૂનમદેવી રામજીસિંગભાઈ ભારદ્વાજ નામના 54 વર્ષના પ્રોઢા સાંજના સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા. ત્યારે છાતીમાં દુખાવો ઉપડતા તેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે પ્રોઢાનું હદયરોગના હુમલાથી મોત નીપજયુ હોવાનું જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક પ્રોઢા મૂળ બિહારના વતની હતા અને તેમને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત બીજા બનાવમાં કોઠારીયા મેઇન રોડ ઉપર આનંદનગર કોલોનીમાં રહેતા કમલેશભાઈ ગુલાબભાઈ પાટડીયા નામના 56 વર્ષના આધેડ રાત્રીના અરસામાં પોતાના ઘરે હતા. ત્યારે હદયરોગનો હુમલો આવતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં કમલેશભાઈ પાટડીયા બે ભાઈ એક બહેનમાં નાના હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. કમલેશભાઈ પાટડીયા નોકરી પરથી ઘરે આવીને જમવા બેઠા હતા અને જમીને ઊભા થયા બાદ હદયરોગનો હુમલો આવતા મોત નિપજયુ હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત ત્રીજા બનાવમાં કોઠારીયા મેઈન રોડ ઉપર શ્રી રામપાર્કમાં રહેતા શામજીભાઈ રામજીભાઈ નસીમ નામના 84 વર્ષના વૃદ્ધ પોતાના ઘરે હતા. ત્યારે બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે વૃદ્ધનું હદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

લક્ષ્મીનગરના યુવકનું બેભાન હાલતમાં મોત
શહેરમાં લક્ષ્મીનગર વિસ્તારમાં જીબી ઓફિસ સામે આવેલા આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા ગોવિંદભાઈ અમરશીભાઈ સોલંકી નામનો 32 વર્ષનો યુવાન રાત્રીના બારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો. ત્યારે બીમારી સબબ બેભાન હાલતમાં ઢાળી પડ્યો હતો. પરિવાર દ્વારા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક ગોવિંદભાઈ સોલંકીને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.

Tags :
deathgujaratgujarat newsheart attackrajkotrajkot news
Advertisement
Advertisement