For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હૃદયરોગનો હુમલો: વધુ બે માનવ જિંંદગી ધબકારા ચૂકી ગઇ

03:54 PM Jul 04, 2025 IST | Bhumika
હૃદયરોગનો હુમલો  વધુ બે માનવ જિંંદગી ધબકારા ચૂકી ગઇ
oplus_32

વેલનાથપરામાં રિક્ષા ચાલક અને દેવપરાના વૃધ્ધનું બેભાન હાલતમાં ઢળી પડયા બાદ મોત

Advertisement

હૃદય રોગનાં હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ હૃદય રોગનાં હુમલાથી અનેક જીંદગી ધબકારા ચુકી ગઇ હોવાની ઘટનાઓ રોજ બરોજ સામે આવી રહી છે ત્યારે શહેરમા વધુ બે જીંદગીનાં હાર્ટ ફેઇલ થયા હોવાની ઘટના સામે આવી છે જેમા વેલનાથપરામા રીક્ષા ચાલક અને દેવપરાનાં વૃધ્ધનુ હૃદય રોગનાં હુમલાથી મોત નીપજતા બંને પરીવારમા શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ શહેરમા મોરબી રોડ પર આવેલા વેલનાથપરામા રહેતા અને રીક્ષા ચલાવી પરીવારનુ ગુજરાન ચલાવતા મહેશભાઇ મગનભાઇ ગોહેલ નામનાં 4પ વર્ષનાં પ્રૌઢ સવારનાં નવેક વાગ્યાનાં અરસામા પોતાનાં ઘરે હતા. ત્યારે બેભાન હાલતમા ઢળી પડતા સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા જયા ફરજ પરનાં તબીબે જોઇ તપાસી પ્રૌઢનુ હૃદય રોગનાં હુલમાથી મોત નીપજયુ હોવાનુ જાહેર કરતા પરીવારમા ગમગીની છવાઇ જવા પામી હતી. મૃતક બે ભાઇ 1 બહેનમા નાના હતા. અને તેમને સંતાનમા બે પુત્ર અને એક પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે.

Advertisement

આ ઉપરાંત બીજા બનાવમા દેવપરા વિસ્તારમા રહેતા શામજીભાઇ કાનજીભાઇ મકવાણા (ઉ.વ. 70) રાત્રીનાં અગ્યારેક વાગ્યાનાં અરસામા પોતાનાં ઘરે હતા. ત્યારે હૃદય રોગનો હુમલો આવતા બેભાન હાલતમા ઢળી પડયા હતા. વૃધ્ધને સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા. જયા તેમનુ મોત નીપજતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો. મૃતકને સંતાનમા 4 પુત્ર હોવાનુ જાણવા મળ્યુ છે ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement