રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

હાર્ટએટેક : રાજકોટમાં કારખાનેદાર સહિત બે લોકોના શ્ર્વાસ થંભી ગયા

01:13 PM Mar 05, 2024 IST | admin
Advertisement

રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાથી વધી રહેલા મૃત્યુ આંકથી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. અને લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.હાર્ટએટેકના કારણે અનેક માનવ જીંદગીઓ કાળના ખપ્પરમાં હોમાઈ હોવાની ઘટનાઓ દિનબદિન વધી રહી છે. ત્યારે રાજકોટમાં વધુ બે ઘટનામાં કારખાનેદાર અને વૃદ્ધને આવેલો હદયરોગનો હુમલો જીવલેણ નિવડતા પરિવારમાં અરેરાટી સાથે કરૂૂણ કલ્પાંત સર્જાયો છે.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં શિવગંગા મેઈન રોડ ઉપર આવેલા કિંગ લેન્ડ પાર્કમાં રહેતા અરવિંદભાઈ લાખાભાઈ કાકડીયા નામના 49 વર્ષના કારખાનેદાર પોતાના ઘરે હતા ત્યારે તેમને છાતીમાં દુખાવો ઉપડતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક આધેડને સંતાનમાં એક પુત્ર છે. અને અરવિંદભાઈ કાકડીયા કારખાનું ધરાવતા હતા.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં રાજકોટમાં સંત કબીર રોડ ઉપર આવેલા ત્રિવેણી ગેઇટ પાસે રહેતા ઓધવજીભાઈ ગોવિંદભાઈ ડાકા નામના 65 વર્ષના વૃદ્ધ પોતાના ઘરે હતા ત્યારે તેમને હૃદયરોગનો હુમલો આવતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં વૃદ્ધની સારવાર કારગત નીવડે તે પૂર્વ જ વૃદ્ધએ હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.પ્રાથમિક પૂછપરછમાં મૃતક ઓધવજીભાઈ ડાકાને સંતાનમાં એક પુત્ર છે અને ઓધવજીભાઈ ડાકાને આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડતા મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.ઉપરોક્ત બંને બનાવ અંગે માલવીયાનગર પોલીસ અને બી ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsheart attackrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement