For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લોથલ ખાતે ફરી જીવંત થશે હડપ્પન સંસ્કૃતિ

03:55 PM Oct 10, 2024 IST | Bhumika
લોથલ ખાતે ફરી જીવંત થશે હડપ્પન સંસ્કૃતિ
Advertisement

સમૃદ્ધ અને વૈવિધ્યસભર દરિયાઇ વારસાને પ્રદર્શિત કરવા નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેકસ બનશે, રૂા.1238 કરોડના પ્રોજેકટને કેન્દ્રની મંજૂરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટે ગુરુવારે ત્રણ મહત્વપૂર્ણ નિર્ણયોને મંજૂરી આપી હતી. આમાં ફોર્ટિફાઇડ ચોખાના વિતરણ માટે મોટા પાયે યોજના, ગુજરાતમાં નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સનો વિકાસ અને રાજસ્થાન અને પંજાબના સરહદી વિસ્તારોમાં માળખાગત સુધારણાનો સમાવેશ થાય છે.

Advertisement

મોદી સરકાર દ્વારા ગુજરાતમાં હડપ્પન સંસ્કૃતિનું કેન્દ્ર એવા લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સની સ્થાપના કરવાની દરખાસ્તને પણ સ્વીકારવામાં આવી છે. ઉદ્દેશ્ય ભારતના સમૃદ્ધ અને વૈવિધ્યસભર દરિયાઈ વારસાને પ્રદર્શિત કરવાનો છે. લોથલ સંકુલને તેના મૂળ સ્વરૂૂપમાં વિકસાવવામાં આવશે અને તે આપણા પ્રાચીન સમયના જાદુનો અનુભવ કરી શકશે. આ સંકુલના ભાગરૂૂપે લાઇટહાઉસ મ્યુઝિયમ, શિપ બિલ્ડિંગનો અનુભવ, ડોક્સ, લોથલ સિટી વગેરેનો વિકાસ કરવામાં આવશે. આ વિશ્વનું સૌથી મોટું મેરીટાઇમ હેરિટેજ સંકુલ હશે.
આ પ્રોજેક્ટની વિગતો મુજબ મુખ્ય બંદરો, સંરક્ષણ મંત્રાલય (ભારતીય નૌકાદળ) અને સંસ્કૃતિ મંત્રાલયના યોગદાન સાથે પ્રથમ તબક્કો 1એ રૂૂ. 1,238.05 કરોડના અંદાજિત ખર્ચે વિકસાવવામાં આવશે. કેબિનેટે સ્વૈચ્છિક સંસાધનોમાંથી ભંડોળ એકત્ર કરવા સાથે, બીજા તબક્કા 1બી અને તબક્કા 2 માટે સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી છે. તબક્કો 1બી માં લાઇટહાઉસ અને લાઇટશિપ્સના મહાનિર્દેશાલય દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ રૂૂ. 266.11 કરોડના ખર્ચે લાઇટ હાઉસ મ્યુઝિયમનું નિર્માણ શામેલ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોથલ ખાતે નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષના વિકાસની મંજૂરી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય મંત્રીમંડળનો આભાર વ્યક્ત કર્યો છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, વડાપ્રધાન મોદીના પવિકાસ ભી, વિરાસત ભીથનો મંત્ર આ મંજૂરીથી સાકાર થશે. એટલું જ નહિં, રાજ્યના સમૃદ્ધ દરિયાઈ વારસાને ઉજાગર કરતા આ કોમ્પ્લેક્ષના વિકાસથી ગુજરાતમાં આશરે 22000 રોજગારીની તકોનું ભવિષ્યમાં સર્જન થશે.

આ પ્રોજેક્ટથી 15,000 પ્રત્યક્ષ અને 7,000 પરોક્ષ નોકરીઓ ઉત્પન્ન થવાની અપેક્ષા છે અને સ્થાનિક સમુદાયો, પ્રવાસીઓ, સંશોધકો, સરકારી સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સાંસ્કૃતિક સંસ્થાઓ, પર્યાવરણીય જૂથો અને વ્યવસાયોને લાભ થશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement