For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાયલાના ગુંદિયાવડાની પ્રાથમિક શાળાના આચાર્યનો ફાંસો ખાઇ આપઘાત

01:00 PM Sep 28, 2024 IST | Bhumika
સાયલાના ગુંદિયાવડાની પ્રાથમિક શાળાના આચાર્યનો ફાંસો ખાઇ આપઘાત
Advertisement

રાજયમાં રોજબરોજ કોઇને કોઇ કારણોસર આપઘાતના બનાવો વધી રહ્યા છે.જયારે ગઇકાલે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં આવેલા ગુંદીયાવડા પ્રાથમિક શાળાના આચાર્યએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી ગઇ હતી. આપઘાતનું કારણ જાણવા પોલીસે મૃતકના પરિવારની પુછપરછ શરૂ કરી છે.જાણવા મળતી વિગતો મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં આવેલા ગુંદીયાવડા પ્રાથમિક શાળામા આચાર્ય તરીકે ફરજ બજાવતા જીગ્નેશભાઇ સરવૈયાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. જેથી તેના પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

બીકજી તરફ શાળાના બાળકોમાં પણ ભાવુક દ્દશ્યો જોવા મળ્યા હતા. શાળાના બાળકો ચોધાર આંસુએ રડી પડ્યા હતા.શિક્ષક જીગ્નેશભાઈ સરવૈયાના મોતનું કારણ હજુ અકબંધ છે. તેમના મોતથી પરિવારે આધારસ્તંભ ગુમાવવા સાથે તેમના પુત્રએ પિતાની છાયા ગુમાવી હતી. આ અઘટિત બનાવથી ધજાળા ગામમાં તેમજ પરિવાર અને શાળા પરિવારમાં ભારે શોકનો માહોલ સર્જાયો હતો. બાળકો પણ ચોધાર આંસુએ રડી પડ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement