જીએસ કેડરના અધિકારી મનોજ પૂજારાનો ફાંસો ખાઇ આપઘાત
05:04 PM Sep 04, 2025 IST | Bhumika
ગાંધીનગર સચિવાલયમાં જીએસએ કેડરના અધિકારી મનોજકુમાર પોપટલાલ પુજારાએ વસ્ત્રાપુર સ્થિત સરકારી કોલોનીમાં પોતાના ઘરમાં આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. છેલ્લા ઘણા સમયથી તેઓ આ મકાનમાં એકલા જ રહેતા હતા. ડ્રાઈવરનો ફોન ન ઉપાડતા શંકા ગઈ અને ત્યારબાદ આ આત્મઘાતી પગલાની જાણ થઈ.
Advertisement
મળતી માહિતી મુજબ, ડ્રાઈવર રોજની જેમ સવારે તેમને ફોન કરી રહ્યો હતો, પરંતુ ફોનનો કોઈ જવાબ ન મળતા તેને ચિંતા થઈ. ડ્રાઈવર તાત્કાલિક તેમના વસ્ત્રાપુર સ્થિત નિવાસસ્થાને પહોંચ્યો અને દરવાજો ખખડાવ્યો. અંદરથી કોઈ જવાબ ન મળતા તેણે બારીમાંથી જોયું તો મનોજકુમાર ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકેલા જોવા મળ્યા હતા.
આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તાત્કાલિક શબનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. હાલ આ મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે
Advertisement
Advertisement