ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કમોસમી વરસાદથી કપાસને થયેલી નુકસાનીનું વળતર સરકાર ચૂકવશે

04:47 PM Jul 10, 2025 IST | Bhumika
Advertisement

રાજ્યના ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન માટે રાહત પેકેજની જાહેરાત કરી છે. ઓક્ટોબર 2024માં થયેલા નુકસાન માટે સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે. જે અંતર્ગત કપાસના વાવેતરને થયેલા નુકસાનની સહાય ખેડૂતોને ચૂકવવામાં આવશે. રાજ્યના 6 જિલ્લાઓમાં કપાસના વાવેતરને થયેલા નુકસાન અંતર્ગત ખેડૂતોને સહાયની ચૂકવણી કરવામાં આવશે.

Advertisement

તમને જણાવી દઈએ કે રાજ્યના છોટા ઉદેપુર, જામનગર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાના ખેડૂતોને આ સહાય ચૂકવવામાં આવશે. સરકારના નિયમ મુજબ જે ખેડૂતોને 33 ટકાથી વધુ પાક નુકસાની થઈ હશે તો જ ખેડૂતને સહાય મળશે. આ સિવાય બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 11,000 રૂૂપિયાની સહાય ખેડૂતને મળશે. ખેડૂતોએ આ પાક નુકસાનીનું વળતર લેવા માટે 14 જુલાઈથી આ 6 જિલ્લાના ખેડૂતોને ઓનલાઈન અરજી કરવાની રહેશે અને સરકાર તરફથી ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં જ સીધા પૈસા જમા કરવામાં આવશે.

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 6 દિવસથી વરસી રહેલા વરસાદને પગલે જિલ્લાના અનેક વિસ્તારોમાં ખેડૂતોના ખેતરોમાં ઊભી નીકળેલા પાકનો સોથો વળી ગયો છે. જિલ્લા મથક પાલનપુરમાં પણ 9 ઇંચ જેટલા વરસાદ ને પગલે પાલનપુર તાલુકાના અનેક ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે હવે પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકરે સીએમને પત્ર લખ્યો છે અને ખેડૂતોને નુકસાનનું વળતર ચૂકવવા માગ કરી છે.

Tags :
Farmersgovernmentgujaratgujarat newsUnseasonal rains
Advertisement
Next Article
Advertisement