For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પંચાયતોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને ઘરભેગા કરવાની અધિકારીઓને સત્તા, સરકારનો ફતવો

03:53 PM Nov 08, 2025 IST | admin
પંચાયતોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને ઘરભેગા કરવાની અધિકારીઓને સત્તા  સરકારનો ફતવો

ભ્રષ્ટાચારના આરોપમાં જિલ્લા પંચાયત પ્રમુખોની હકાલપટ્ટી કરી શકશે ડીડીઓ

Advertisement

રાજ્યમાં પંચાયતોને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે સરકારે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. પંચાયતી રાજમાં ચૂંટાયેલા હોદ્દેદારો દ્વારા થતા ભ્રષ્ટાચારને ડામવા માટે રાજ્ય સરકારે એક નવું રાજપત્ર જાહેર કર્યું છે. જે અંતર્ગત અધિકારીઓને અભૂતપૂર્વ સત્તાઓ આપવામાં આવી છે. નવી જોગવાઈ મુજબ હવેથી ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના કોઈપણ હોદ્દેદાર સામે ભ્રષ્ટાચારનો આરોપ સિદ્ધ થશે, તો જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) તેમને તાત્કાલિક અસરથી પઘરભેગાથ કરી શકશે, એટલે કે પદ પરથી હટાવી શકશે.

મહત્ત્વની વાત એ છે કે, ભ્રષ્ટાચારની તપાસ અને પગલાં લેવાની સંપૂર્ણ સત્તા ડીડીઓ અને તેમનાથી ઉપરના અધિકારીઓને સોંપવામાં આવી છે. આનાથી તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખો જેવા ઉચ્ચ હોદ્દા પર બેઠેલા પ્રતિનિધિઓ સામે પણ નિષ્પક્ષ તપાસ કરી કડક કાર્યવાહી કરી શકાશે.

Advertisement

આ નિર્ણયની સૌથી મોટી અસર એ થશે કે હવે ભ્રષ્ટાચારની ફરિયાદ કરવા માટે જટિલ0 પ્રક્રિયાની જરૂૂર રહેશે નહીં. અધિકારીઓ માત્ર સાદી અરજી કે પછી મળેલી મૌખિક બાતમીના આધારે પણ ભ્રષ્ટાચારની તપાસ શરૂૂ કરી શકશે. પંચાયતી રાજના ઇતિહાસમાં પ્રથમ વખત ચૂંટાયેલા હોદ્દેદારો સામે કાર્યવાહી કરવાની સીધી સત્તા અધિકારીઓને આપતું આ રાજપત્ર ભ્રષ્ટાચાર વિરુદ્ધની નીતિ સ્પષ્ટ કરે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement