ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પવનની ઝડપ વધતા ગિરનાર રોપ-વે બંધ

04:52 PM Jan 23, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

શિયાળાની ઋતુની શરૂૂઆત સાથે જૂનાગઢના ગિરનાર પર્વત પર પવનની ગતિમાં નોંધપાત્ર વધારો થયો છે. પર્વત શિખર પર 60-70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઉષા બ્રેકો દ્વારા રોપ-વે સેવા અસ્થાયી રૂૂપે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગિરનાર પર્વત જૂનાગઢનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર છે, જ્યાં રોજના હજારો યાત્રાળુઓ અને પ્રવાસીઓ મુલાકાત લે છે. પર્વત પર સ્થિત જૈન દેરાસર, અંબાજી મંદિર અને ભગવાન દત્તાત્રેયના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો આવે છે. રોપ-વે સેવાની શરૂૂઆતથી જ આ સ્થળ પ્રવાસીઓ માટે વધુ સુલભ બન્યું છે. સત્તાવાળાઓએ જણાવ્યું છે કે વાતાવરણ અનુકૂળ થયા બાદ અને પવનની ગતિ સામાન્ય થયા પછી રોપ-વે સેવા ફરીથી શરૂૂ કરવામાં આવશે. આ નિર્ણય પ્રવાસીઓની સલામતી માટે લેવામાં આવ્યો છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

Tags :
Girnar ropewaygujaratgujarat newsJunagadhJunagadh NEWS
Advertisement
Next Article
Advertisement