રાજકોટમાં જેલમાં આજીવન કેદની સજા ભોગવતા ચાર કેદી જેલ મુક્ત થયા
05:39 PM Oct 03, 2024 IST | Bhumika
Advertisement
રાજકોટ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા પાકા કામના કેદી ધીરુભાઈ ધનકાભાઈ ધાખડા, સહિદ આદમભાઈ વરામ, જયેન્દ્રસિંહ નારુભા ઝાલા અને હિતેશભાઈ મનુભાઈ જાદવને આજે તેમની સારી વર્તણુક બદલ જેલ મુક્ત કરવામાં આવ્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય નાગરિક સુરક્ષા સહિંતા-2023ની કલમ 475ની જોગવાઈને આધીન નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 473 હેઠળ રાજ્ય સરકારને મળેલી સત્તાની રુએ આ કેદીઓની સારી વર્તુણક બદલ જેલમુક્ત કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત જેલઅધિક્ષક રાઘવ જૈન દ્વારા ચારેય જેલમુક્ત થયેલા કેદીઓને શ્રીમદ ભાગવતગીતા ભેટ આપી સારા નાગરિક તરીકે જીવન જીવવાની શુભેચ્છાઓ આપી હતી.
Advertisement
Advertisement